વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

February 12, 2023

બનાસકાંઠા: આજથી અંબાજી ખાતે 51 શક્તિપીઠની પાંચ દિવસીય પરિક્રમાની શરૂઆત કરાઈ છે. જ્યાં લાખો ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે પહોંચી રહ્યા હોવાથી એસટી વિભાગ દ્વારા તમામ મુસાફરોને બિલકુલ મફત અંબાજી લાવવા માટે 2500 જેટલી બસો મુકવામાં આવી છે અને મુસાફરોને મફત અંબાજી લાવવામાં આવી રહ્યા છે.


વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે આજથી પાંચ દિવસ માટે 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ કરાયો છે જેને લઈને લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી આવતા મુસફરોને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર અને અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરાઇ છે જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગરના ભક્તો માટે 2500 બસો મુકવામાં આવી છે જે બસોની અંદર અંબાજી આવતા તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે બસમાં મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી અનેક ગામડાઓ અને જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં લોકો અંબાજ આવી રહ્યા છે.