પુરીના જગન્નાથમાં 46 વર્ષ બાદ મંદિરમાં રતન ભંડારના કપાટ ખૂલ્યા
July 14, 2024
પુરી ƒ ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના રતન ભંડારના કપાટ ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 46 વર્ષના લાંબા સમય બાદ આ રતન ભંડારના કપાટ ખોલ્યા છે. આ માટે રાજ્ય સરકારે આજે (14 જુલાઈ) બપોરે 1:28 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.આજે જેવો જ શુભ સમય આવ્યો કે તરત જ આ રતન ભંડારના કપાટ ખોલી નાખવામાં આવ્યા હતા. આ પહેલા કપાટ વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા. ચાર ધામોમાંથી એક જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં રતનોનો ભંડાર છે. જેમાં ત્રણ દેવતા જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રતનો રાખવામાં આવ્યા છે. ઘણા રાજાઓ અને ભક્તોએ ભગવાનને ઘરેણાં અર્પણ કર્યા હતા. તે બધા રતન ભંડારમાં રાખવામાં આવ્યા છે. આભૂષણોની કિંમત અમૂલ્ય હોવાનું કહેવાય છે. આજદિન સુધી તેનું મૂલ્યાંકન થયું નથી. આ ઐતિહાસિક ભંડાર જગન્નાથ મંદિરના જગમોહનના ઉત્તર કિનારે છે.
મંદિર પ્રબંધન સમિતિના વડા અરવિંદ પાધીએ જણાવ્યું હતું કે 'અગાઉ રતન ભંડારના કપાટ વર્ષ 1905, 1926 અને 1978માં ખોલીને કિંમતી વસ્તુઓની યાદી બનાવવામાં આવી હતી. રતના ભંડારના કપાટ છેલ્લે 1985ની 14મી જુલાઈએ જ ખોલવામાં આવ્યા હતા. આ પછી રતન ભંડારના કપાટ ક્યારેય પણ ખોલવામાં આવ્યા ન હતા. પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકર સ્વૈને કહ્યું, 'રતન ભંડાર આજે ફરી ખોલતા પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. અમે શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ચુસ્તપણે પાલન કર્યું છે.' રતન ભંડારની અંદર પાલક સાપ હોવાની અફવા પર દાસ મહાપાત્રાએ સ્પષ્ટતા કરી કે આવી કોઈ સમસ્યા નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પ્રતિનિધિની હાજરીમાં આભૂષણોની યાદી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આભૂષણોની ગણતરી કર્યા પછી એક ડિજિટલ કૅટલૉગ બનાવવામાં આવશે. જેમાં ફોટોગ્રાફ્સ, આભૂષણોનું વજન અને અન્ય વસ્તુઓની સાથે તેમની ગુણવત્તાનો સમાવેશ થશે.
Related Articles
ક્યારથી શરૂ થશે ગણેશ મહોત્સવ? જાણો સ્થાપના, વિસર્જનનો સમય
ક્યારથી શરૂ થશે ગણેશ મહોત્સવ? જાણો સ્થાપ...
પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ : ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું પર્વ
પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ : ચિત્તશુ...
Aug 31, 2024
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, કાનુડાની પૂજા કરવા મળશે કેટલો સમય? જાણો શુભ મૂહુર્ત
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી આજે, કાનુડાની પૂજા...
Aug 26, 2024
આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસોઈકાર્યમાં મગ્ન બનશે, રાત્રે ચૂલો ઠારશે
આજે રાંધણ છઠ્ઠ : ગૃહિણીઓ દિવસ દરમિયાન રસ...
Aug 24, 2024
સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડી, દાદાને વિશેષ શણગાર
સાળંગપુર હનુમાનજીને ભક્તો અર્પણ કરી રાખડ...
Aug 19, 2024
વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરમાં જન્માષ્ટમી પહેલા ભક્તોની ભારે ભીડ
વૃંદાવનના પ્રસિદ્ધ મંદિરમાં જન્માષ્ટમી પ...
Aug 18, 2024
Trending NEWS
31 August, 2024
31 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
30 August, 2024
Aug 31, 2024