અલ્લુ અર્જુને લીડ હિરો તરીકે બોલીવૂડ ફિલ્મ સ્વીકારી

March 04, 2023

મુંબઇ : અલ્લુ અર્જુનનો 'પુષ્પા' ફિલ્મનો 'ઝુકેગા નહીં સાલા' ડાયલોગ પોપ્યુલર બન્યો હતો. તેને સાર્થક કરતો હોય તેમ અલ્લુ અર્જુને શાહરુખની ફિલ્મમાં ફાલતુ કેમિયો કરવાનો ઈનકાર કરી દીધા બાદ મેઈન હીરો તરીકે બોલીવૂડની નવી ફિલ્મ સ્વીકાર્યાની ઘોષણા કરી દીધી છે. અલ્લુએ આ પગલાં દ્વારા ક્લિયર મેસેજ આપી દીધો છે કે તેને બોલીવૂડમાં સ્થાપિત હિરોની સાથે સાઈડ રોલ કરવામાં કોઈ રસ નથી. અલ્લુની આ નવી બોલીવૂડ ફિલ્મ 'કબીરસિંઘ'ના ડાયરેક્ટર સંદિપ વાંગા દિગ્દર્શિત કરશે. આ ફિલ્મને ટી સીરીઝ પ્રોડયૂસ કરશે. એટલે મુખ્યત્વે તે હિંદીમાં જ બનશે એમ માનવામાં આવે છે. જોકે, પાન ઈન્ડિયા તથા ખાસ તો સાઉથના માર્કેટને ધ્યાને રાખીને તેને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓમાં ડબ કરવામાં આવી શકે છે. શાહરુખ ખાનની 'જવાન'માં અલ્લુને કેમિયોની ઓફર કરાઈ હતી. પરંતુ, અલ્લુએ એવાં બહાને આ ઓફર ફગાવી દીધી હતી કે હાલ તેની પાસે ટાઈમ નથી. પણ હવે તેણે મુખ્ય ભૂમિકા ધરાવતી બોલીવૂડ ફિલ્મ સ્વીકારીને મેસેજ આપ્યો છે કે તેની પાસે દમદાર રોલ માટે તો ટાઈમ છે પરંતુ ફાલતુ કેમિયો કરવામાં પોતાનો સમય વેડફવા ઈચ્છતો નથી.