અંકિતા હત્યા કેસ, હજારો લોકો રસ્તા પર ઉતર્યા
September 25, 2022

ઉત્તરાખંડમાં પૂર્વ મંત્રીના પુત્રના રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના મોતને લઈને સતત ત્રીજા દિવસે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ઉત્તરાખંડમાં અંકિતાના હોમ ટાઉન શ્રીનગરમાં સેંકડો લોકો વિરોધ કરી રહ્યા છે. મહિલાઓએ અંકિતાના ફોટાની તસવીરો ઉભી કરીને ન્યાયની માંગ કરી હતી. આ પહેલા શનિવારે ગુસ્સે થયેલા લોકોએ આરોપી પુલકિત આર્યના રિસોર્ટને આગ ચાંપી દીધી હતી. તે જ સમયે, શુક્રવારે કોર્ટમાં લઈ જતી વખતે, મહિલાઓએ આરોપીને ખૂબ માર માર્યો હતો.
ઘટનાના વિરોધને લઈ શ્રીનગર બંધ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર અંકિતાની મોત પાણીમાં ડૂબવાથી થઈ છે. ધક્કો મારતા પહેલા અંકિતાને ભારે વસ્તુથી મારવામાં આવી હતી. તેના શરીર પર વાગ્યાના નિશાન પણ મળ્યા, રિપોર્ટમાં જાતીય શોષણ અથવા બળાત્કારનો ઉલ્લેખ નથી. અંકિતાનો પરિવાર AIIMSની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી નાખુશ છે. અંકિતાનો અંતિમ સંસ્કાર કરવાની પણ મનાઈ કરી રહ્યા છે.
ઋષિકેશમાં અંકિતાના પિતા વીરેન્દ્ર ભંડારીએ ભાસ્કર ગ્રૂપ સાથે વાત કરતા જણાવ્યુ કે, અમે અમારી દીકરીનો અંતિમ સંસ્કાર ત્યાં સુધી નહીં કરીએ, જ્યાં સુધી વિગતવાર પોસ્ટમોર્ટમ જાહેર ન થાય.' અંકિતાના પિતાએ સવાલ ઉઠાવ્યો કે જે રિસોર્ટમાં પુરાવા હતા, તેને કેમ તોડી પડાયું છે? આમ કરવાથી પુરાવાનો નાશ થાય છે.
Related Articles
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો ઉપર દિવાલ ધરાશાયી થતા 4ના મોત, 14 ઇજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમ...
Dec 08, 2023
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક...
Dec 08, 2023
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ : પૈસા લઈને સદનમાં સવાલ પૂછવાના કેસમાં કાર્યવાહી
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ...
Dec 08, 2023
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરો', ભડક્યા પૂર્વ ડાકૂ મલખાન સિંહ
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી...
Dec 08, 2023
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદીની ચિંતા
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદ...
Dec 06, 2023
Trending NEWS

06 December, 2023

06 December, 2023

06 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023