BMCને ઉદ્ધવ ગૃપની ચીમકીઃ પરવાનગી મળે કે ન મળે, શિવાજી પાર્કમાં જ દશેરાની રેલી થશે
September 20, 2022
- દશેરા રેલી મુદ્દેની અરજી ઉપર જવાબ નહીં મળે તો શિવાજી પાર્કમાં એકઠા થશે શિવસૈનિકઃ શિવસેના
મુંબઈ- ઉદ્ધવ ઠાકરેના નેતત્વ હેઠળની શિવસેનાએ મંગળવારના રોજ કહ્યું હતું કે, બૃહ્ન્મુંબઈ નગર નિગમ (BMC) પરવાનગી આપે કે ન આપે તેઓ પાર્ટીની દશેરા રેલી મુંબઈના શિવાજી પાર્કમાં કરશે. મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્યના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ નગર નિગમના અધિકારીઓની મુલાકાત લેશે. તેઓ રેલીનું આયોજન કરવાની પરવાનગી માટે તેમની અરજી અંગે પૂછપરછ કરશે. શિવસેનાએ કહ્યું હતું કે, વહીવટીતંત્રે અમને પરવાનગી આપવી પડશે અથવા અરજી નામંજૂર કરવી જોઈએ. અમે શિવાજી પાર્કમાં રેલી કરવાના અમારા નિર્ણય ઉપર મક્કમ છીએ.
શિવસેનાએ કહ્યુ હતું કે, જો અમને અમારી અરજી ઉપર જવાબ નહીં મળે તો બાલા સાહેબના શિવસેના કાર્યકરો દશેરા દિવસે શિવાજી પાર્કમાં એકઠા થશે. ઠાકરેના નેતૃત્વવાળા ગૃપ અને હરીફ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ વાળા ગૃપ બન્નેએ મધ્ય મુંબઈના શિવાજી પાર્કમાં રેલી યોજવાની પરવાનગી માંગી છે. શિવસેના પોતાની સ્થાપનાની શરૂઆતથી જ આ સ્થળે દશેરા રેલીનું આયોજન કરતી હતી. BMCએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય નથી લીધો. આ બન્ને ગૃપે એક વિકલ્પ તરીકે બાંદ્રા કુર્લા કોપ્લેક્ષ (BKC) ના MMRDA મેદાનમાં રેલી કરવાની પરવાનગી માટે પણ અરજી કરી છે. ગત સપ્તાહે શિંદે જૂથને BKCમાં રેલી કરવાની મંજૂરી મળી હતી.
આ દરમિયાન NCPના નેતા અજીત પવારે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી કરવાની પરવાનગી મળવી જોઈએ અને જો પરવાનગી ન મળે તો તેણે કાયદાનો સહારો લેવો જોઈએ. જો શિંદે ગૃપને BKC મેદાન માટે મંજૂરી આપી હોય તો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાને શિવાજી પાર્કમાં રેલી યોજવાની પરવાનગી આપવી જોઈએ.
Related Articles
નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્રને રૃ. ૪.૨૦ કરોડનું ડિવિડન્ડ
નારાયણ મૂર્તિના પાંચ મહિનાના પૌત્રને રૃ....
રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી જ રીતે વાયનાડ પણ છોડશેઃ નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ
રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી...
Apr 20, 2024
નરેન્દ્ર મોદીએ ભારતને બેરોજગારીનું કેન્દ્ર બનાવી દીધું, બિહારની રેલીમાં રાહુલ ગાંધીના પ્રહાર
નરેન્દ્ર મોદીએ ભારતને બેરોજગારીનું કેન્દ...
Apr 20, 2024
કર્ણાટકમાં પ્રપોઝ ન સ્વીકારતાં હુબલીના કોંગ્રેસી નેતાની પુત્રીની વિધર્મીએ હત્યા કરી
કર્ણાટકમાં પ્રપોઝ ન સ્વીકારતાં હુબલીના ક...
Apr 20, 2024
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ PMએ મતદારોને પાઠવી શુભેચ્છા
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ PMએ...
Apr 20, 2024
છિંદવાડાથી ચૂંટણી ફરજ પરથી પરત ફરતા પોલીસકર્મીઓની બસને નડ્યો અકસ્માત
છિંદવાડાથી ચૂંટણી ફરજ પરથી પરત ફરતા પોલી...
Apr 20, 2024
Trending NEWS
20 April, 2024
19 April, 2024
19 April, 2024
19 April, 2024
19 April, 2024
19 April, 2024
19 April, 2024
19 April, 2024
19 April, 2024
19 April, 2024
Apr 20, 2024