બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંત્યેષ્ઠી

September 19, 2022

લંડન : બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સ્કોટલેન્ડમાં 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ II 8 સપ્ટેમ્બર 2022ના રોજ એ અંતિમ શ્વાસ લીધાં હતા. ત્યારે હવે સમગ્ર વિશ્વની નજર તેમના અંતિમસંસ્કાર પર છે. મહારાણીના અંતિમસંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત વિશ્વના અનેક નેતાઓ હાજર રહેશે.  

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના કોફીનને વેસ્ટમિન્સટર એબેના ગ્રેટ વેસ્ટ ડોરથી બહાર લઇ જવામાં આવ્યો છે.

હવે તેને રાજ્યની બગીમાં વેલિંગ્ટન આર્ક સુધી લઈ જવામાં આવશે. જ્યાં સંપૂર્ણ રાજકીય વૈભવ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અલવિદા કહેતાં યુકેમાં લાખો લોકોની આંખોમાં દુખ દેખાઇ રહ્યું છે. 

મહારાણીની અંત્યેષ્ટિના દિવસે બ્રિટન રજા જાહેર કરવામાં આવી