કેનેડા : પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના અવસરે નાયગ્રા ફોલ્સ લાઈટોથી પ્રકાશિત કરાયા
December 12, 2022

કેનેડા : 7 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના અવસરે ભારત સહિત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કેનેડા અને અમેરિકામાં આવેલ નાયગ્રા ધોધને સફેદ અને કેસરી રંગની લાઈટોથી પ્રકાશિત કરી નાયગ્રા પાર્કસ કમિશન અને નાયગ્રા ફોલ્સ એલ્યુમિનેશન બોર્ડ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને બીએપીએસના સ્વામી અને સ્વયંસેવકો સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
માત્ર ભારતમાં જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતા લોકો અનેક દેશોમાં વસે છે. જેથી અનેક દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો સ્થપાયા છે. પ્રમુખસ્વામી મહારાજ પહેલી વખત ૧૯૭૪ના વર્ષમાં કેનેડા આવ્યા હતા. કેનેડાના ટોરાન્ટોમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૮૮માં તેમનું કેનેડાની સંસદમાં સન્માન કરવામાં આવ્યું હતું. આમ કુલ તેમને ૧૩ વખત કેનેડાની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે ૨૦૧૭માં તેમની અસ્થિઓનું વિસર્જન નાયગ્રા ધોધમાં કરવામાં આવ્યું હતું. સાથે જ નાયગ્રા પાર્કસ્ કમિશન ખાતે તેમની યાદમાં સ્મારક વૃક્ષ રોપવામાં આવ્યું હતું.
આમ કેનેડાના લોકો સાથે પહેલેથી જ પ્રમુખસ્વામી મહારાજ સંકળાયેલા હોય તેવું ત્યાંના લોકો અનુભવે છે. જેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમની ૧૦૦મી જન્મજયંતી પર નાયગ્રા ધોધને સફેદ અને કેસરી લાઈટોથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમજ બીએપીએસ સંસ્થાને દર્શાવવા ધોધને સફેદ અને લાલ રંગની લાઈટોથી ઉજ્વલિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીએપીએસના સ્વામી અને સ્વયંસેવકોએ આરતી કરી હતી અને નાયગ્રા ધોધ જોવા આવતા સહેલાણીઓની સુખાકારી તેમજ કેનેડાના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સેંકડો ભક્તો આ ઉજવણીમાં હાજર રહ્યા હતા તેમજ હજારો ભક્તો લાઈવ ટેલીકાસ્ટના માધ્યમથી આ ઉજવણીમાં જોડાયા હતા.
Related Articles
ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કર્યો
ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં મહાત્મા ગાંધી...
Mar 24, 2023
અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં સરેમાં ભારતના રાજદૂતને કાર્યક્રમમાં જવા ન દીધા
અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં...
Mar 21, 2023
કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને 18 મહિના સુધી વધારી
કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને...
Mar 18, 2023
કેનેડામાં 700 ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટના લેટર અપાયા
કેનેડામાં 700 ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટન...
Mar 15, 2023
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું 47 વર્ષની ઉંમરે મૃત્યુ, એનિમલ જસ્ટિસ જૂથની તપાસની માંગ
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું...
Mar 11, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023