ભારતીય મૂળના નાગરિકો હવે કેનેડાના લશ્કરમાં જોડાઈ શકશે
November 15, 2022
ટોરન્ટો : કેનેડાના લશ્કરમાં હવે ભારતીય મૂળના નાગરિકો પણ ભરતી થઈ શકશે. કેનેડાની સરકારે સૈન્યની ભરતી પ્રક્રિયામાં પરિવર્તન કર્યું હોવાથી વિદેશી નાગરિકોને સૈન્યમાં જોડાવાનો માર્ગ મોકળો થયો છે. કેનેડાના પીઆર મેળવ્યા પછી ઓછામાં ઓછાં ૧૦ વર્ષ સુધી દેશમાં રહેનારા વિદેશી નાગરિકો સૈન્ય માટે યોગ્ય ગણાશે. કેનેડાના લશ્કરમાં સૈનિકોની ભારે અછત સર્જાઈ છે. સૈન્યમાં સૈનિકોથી લઈને ઉચ્ચ અધિકારીઓના પદો ખાલી પડયા છે ને યોગ્ય ઉમેદવારો મળતા ન હોવાથી વર્ષોવર્ષ જગ્યા ખાલી પડી રહે છે. પાંચેક વર્ષ પહેલાં જ કેનેડાના લશ્કરમાં વિદેશી મૂળના નાગરિકોને સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. એ વખતે જ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ભરતીના નિયમોમાં ફેરફાર કર્યો હતો, પરંતુ એ ફેરફારો લાગુ થયા ન હતા.
સૈનિકોની અછતને પહોંચી વળવા માટે હવે કેનેડાની સરકારે વિદેશી મૂળના નાગરિકોને લશ્કરમાં ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. એ પ્રમાણે કેનેડામાં પરમેનન્ટ રેસિડન્ટ મેળવ્યાના ૧૦ વર્ષ પછી જે તે વિદેશી મૂળની વ્યક્તિ સૈન્યમાં જોડાવા માટે યોગ્ય ગણાશે. આ ફેરફારનો સૌથી વધુ લાભ ભારતીય મૂળના નાગરિકોને થશે. ભારતના અસંખ્ય લોકો માટે કેનેડાના સૈન્યમાં ભરતી થવાની તક રહેશે. કેનેડાની સરકારી નોકરી મેળવવાનો મોકો સર્જાશે. અત્યાર સુધી કેનેડામાં જન્મેલા યુવાનોને જ સૈન્યમાં ભરતીની તક મળતી હતી. ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ મેળવીને ૧૮ વર્ષથી યુવાનો સૈન્યમાં ભરતી થઈ શકતા હતા. માતા-પિતાની પરવાનગી હોય તો ૧૬ વર્ષે પણ લશ્કરમાં ભરતી થઈ શકાતું હતું, પરંતુ વિદેશી મૂળના નાગરિકોની સૈન્યમાં ભરતી થતી ન હતી. કેનેડાના સૈન્યમાં હજારો જગ્યા ખાલી છે. એમાંથી અડધી જગ્યા ભરવા માટે ય જો પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો દર મહિને ૫૯૦૦ લોકોની ભરતી થાય તેમ છે.
સૈનિકોની અછતને પહોંચી વળવા માટે હવે કેનેડાની સરકારે વિદેશી મૂળના નાગરિકોને લશ્કરમાં ભરતી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. એ પ્રમાણે કેનેડામાં પરમેનન્ટ રેસિડન્ટ મેળવ્યાના ૧૦ વર્ષ પછી જે તે વિદેશી મૂળની વ્યક્તિ સૈન્યમાં જોડાવા માટે યોગ્ય ગણાશે. આ ફેરફારનો સૌથી વધુ લાભ ભારતીય મૂળના નાગરિકોને થશે. ભારતના અસંખ્ય લોકો માટે કેનેડાના સૈન્યમાં ભરતી થવાની તક રહેશે. કેનેડાની સરકારી નોકરી મેળવવાનો મોકો સર્જાશે. અત્યાર સુધી કેનેડામાં જન્મેલા યુવાનોને જ સૈન્યમાં ભરતીની તક મળતી હતી. ૧૨ ધોરણ સુધીનું શિક્ષણ મેળવીને ૧૮ વર્ષથી યુવાનો સૈન્યમાં ભરતી થઈ શકતા હતા. માતા-પિતાની પરવાનગી હોય તો ૧૬ વર્ષે પણ લશ્કરમાં ભરતી થઈ શકાતું હતું, પરંતુ વિદેશી મૂળના નાગરિકોની સૈન્યમાં ભરતી થતી ન હતી. કેનેડાના સૈન્યમાં હજારો જગ્યા ખાલી છે. એમાંથી અડધી જગ્યા ભરવા માટે ય જો પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો દર મહિને ૫૯૦૦ લોકોની ભરતી થાય તેમ છે.
Related Articles
કેનેડામાં હવે મુસ્લિમોને 'હલાલ લોન' મળશે, ટ્રુડો સરકારની બજેટમાં જાહેરાત
કેનેડામાં હવે મુસ્લિમોને 'હલાલ લોન' મળશે...
કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાતા ખળભળાટ
કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મ...
Apr 15, 2024
અમે અમારા દેશની લઘુમતીઓની સાથે છે, ભલે અમુક દેશોને પસંદ ના હોય
અમે અમારા દેશની લઘુમતીઓની સાથે છે, ભલે અ...
Apr 12, 2024
કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત બે લોકોની હત્યા
કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મ...
Apr 10, 2024
'અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી કરતાં..' કેનેડાના આરોપનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
'અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી...
Apr 06, 2024
કેનેડામાં અહીં વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ દેખાશે, પછી 20 વર્ષ સુધી આવું દૃશ્ય નહીં દેખાય
કેનેડામાં અહીં વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ...
Mar 31, 2024
Trending NEWS
પાકિસ્તાનમાં ભારે વરસાદને લીધે 87 લોકોનાં મોત, સેં...
20 April, 2024
અમેરિકામાં ગ્રીનબેલ્ટ પાર્કમાં વિદ્યાર્થીઓ પર ફાયર...
20 April, 2024
ઇઝરાયેલનો વળતો પ્રહાર: ઇરાન પર મિસાઇલો અને ડ્રોનથી...
20 April, 2024
કર્ણાટકમાં પ્રપોઝ ન સ્વીકારતાં હુબલીના કોંગ્રેસી ન...
20 April, 2024
પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ PMએ મતદારોને પ...
20 April, 2024
છિંદવાડાથી ચૂંટણી ફરજ પરથી પરત ફરતા પોલીસકર્મીઓની...
20 April, 2024
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તોફા...
20 April, 2024
ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં મહાનદીમાં બોટ પલટતાં 1...
20 April, 2024
કોઈ વિદેશી હુમલો થયો નથી- ઈઝરાયેલના પલટવાર બાદ ઈરા...
19 April, 2024
કોંગ્રેસ શરિયાના નામે દેશ ચલાવવા માંગે છે : ગૃહમંત...
19 April, 2024
Apr 18, 2024