'હર ઘર તિરંગો': રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ- દેશદ્રોહીઓએ 52 વર્ષ સુધી તિરંગો કેમ ન ફરકાવ્યો
August 04, 2022

નવી દિલ્હી : દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરને ખાસ બનાવવા માટે સરકાર તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાસ આયોજન કરાઈ રહ્યુ છે. મોદી સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ અભિયાન માટે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસે આ કાર્યક્રમથી દૂરી બનાવી લીધી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારાઓને દેશદ્રોહી સંગઠન ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગમાં તિરંગા સાથેની તસવીરો ટ્વીટ કરીને લખ્યું હતું કે, કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખૂબ જ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે, 'હર ઘર તિરંગો' આભિયાન ચલાવનારા દેશદ્રોહી સંગઠનમાંથી બહાર આવ્યા છે. તેમણે 52 વર્ષ સુધી તિરંગો નહોતો લહેરાવ્યો. આઝાદીની લડાઈથી તેઓ કોંગ્રેસ પાર્ટીને રોકી શક્યા નથી અને આજે પણ નહીં રોકી શકે.
Related Articles
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમાનો ઉપર દિવાલ ધરાશાયી થતા 4ના મોત, 14 ઇજાગ્રસ્ત
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભમાં આવેલા મહેમ...
Dec 08, 2023
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક...
Dec 08, 2023
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ : પૈસા લઈને સદનમાં સવાલ પૂછવાના કેસમાં કાર્યવાહી
મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ...
Dec 08, 2023
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરો', ભડક્યા પૂર્વ ડાકૂ મલખાન સિંહ
'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી...
Dec 08, 2023
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદીની ચિંતા
5માંથી 3 રાજ્યોમાં જીતવા છતાં વધી PM મોદ...
Dec 06, 2023
Trending NEWS

06 December, 2023

06 December, 2023

06 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023

05 December, 2023