કેનેડામાં ગોળીબારમાં ઘાયલ ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ

September 20, 2022

કેનેડાના ઓન્ટારિયામાં ગયા સોમવારે થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શનિવારે મૃત્યુ થયું છે. આ ઉપરાંત આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત અન્ય બે લોકોનાં પણ મૃત્યુ થયા છે. હિલ્ટન પ્રાદેશિક પોલીસ સેવા તરફથી જારી નિવેદનમાં જણાવ્યા મુજબ મિલ્ટન ખાતે ગયા સોમવારે થયેલા ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી પણ ઘાયલ થયો હતો. તેની ઓળખ સતવિંદરના રૂપમાં થઈ હતી. પોલીસે જણાવ્યું કે હેમિલ્ટન સરકારી હોસ્પિટલમાં મૃત્યુ દરમિયાન તેનું અવસાન થયું હતું. કુટુંબીજનો અને મિત્રોની હાજરીમાં સતવિંદરે અંતિમ શ્વાસ લીધા હતા.

સતવિંદરની બહેન સરબજોત કૌરે ટોરેન્ટો સ્ટાર સમાચારપત્રને જણાવ્યું હતું કે સતવિંદરના પિતાએ શનિવારે હોસ્પિટલને લાઇફ સપોર્ટ દૂર કરવા મંજૂરી આપી દીધી હતી. કોરોના વૈશ્વિક મહામારી પહેલાં પિતા પુત્રને છેલ્લીવાર મળ્યા હતા. સિંહના પિતા દુબઇમાં ડ્રાઇવરની નોકરી કરે છે, હિંસક ઘટના બન્યા પછી તેઓ કેનેડા પહોંચ્યા હતા. પરિવારને સતવિંદરના મૃતદેહને ભારત લઈ જવા મદદ કરવા એક મંચે 35 હજાર ડોલરની રકમ એકઠી કરી લીધી હતી.