તાપીના મુબારકપુરની શાળામાં મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી

September 24, 2022

તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુબારકપુર શાળાની બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાંથી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ સહીત વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

નિઝર તાલુકાના મુબારકપુર પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહ્ન ભોજન યોજનાના ભોજનમાંથી મરેલી કીડીઓ અને માંખી મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આથી પુરવઠા વિભાગ દ્વારા શાળામાં આપવામાં આવતા અનાજની ગુણવત્તા અંગેની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે નિઝર મામલતદારે શાળાનાં સંચાલકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.