અંતિમ T20 માં ટીમમાં થશે ફક્ત એક ફેરફાર, પંતને જીત બાદ પણ ખટકી રહ્યો છે આ ખેલાડી

June 18, 2022

ભારત અને સાઉથ આફ્રીકાની વચ્ચે રમાઇ રહેલી 5 મેચોની ટી20 સીરીઝ અત્યારે 2-2 થી બરાબરી પર છે. આ સીરીઝના પહેલાં બે મેચોમાં હારનો સામનો કરનાર ટીમ ઇન્ડીયાએ આગામી મુકાબલાને જીતીને શાનદાર વાપસી કરી. હવે સીરીઝ માટે નિર્ણાયક મુકાબલામાં બંને ટીમ જીતવા માંગશે. ટીમ ઇન્ડીયા અત્યારે સારા લયમાં છે પરંતુ કેપ્ટન ઋષભ પંત સીરીઝ જીતવા માટે ટીમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરી શકે છે. 


આ સીરીઝની પહેલી બે મેચો બાદ ભારતીય ટીમે સારી લય પકડી છે. આગામી બે મુકાબલામાં ટીમ ઇન્ડીયાના તમામ ખેલાડીઓએ કમાલનું પ્રદર્શન કરી આ સીરીઝમાં વાપસી કરી છે. પરંતુ ટીમ ઇન્ડીયાનો એક ખેલાડી એટલું ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે કે તેના લીધે આખો મિડલ ઓર્ડર નબળો થઇ જાય છે. આ ખેલાડી બીજો નહી પરંતુ શ્રેયસ ઐય્યર છે. આ આખી સીરીઝમાં ઐય્યર પોતાના નામના અનુરૂપ પ્રદર્શન કરી રહ્યા નથી.  
ઐય્યરે પહેલાં ટી20 માં 27 બોલ રમીને ફક્ત 26 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ટી20 માં તે 35 બોલ પર 40 અને ત્રીજી મેચમાં 11 બોલમાં 14 રન બનાવી શક્યા હતા. ચોથા મુકાબલામાં આ ખેલાડી 4 રન બનાવીને ટીમ ઇન્ડીયાને મુશ્કેલીમાં મુકીને જતો રહ્યો. એવામાં તેમને અંતિમ મેચમાં ડ્રોપ કરવો જ ટીમ ઇન્ડીયા માટે સારો ઓપ્શન રહેશે.