રાજીવ ગાંધી હત્યાકાંડ: દોષિતોની મુક્તિના SCના નિર્ણયને કોંગ્રેસ પડકારશે
November 21, 2022
નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલે 6 દોષિતોની સમય પહેલા મુક્તિના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં નવી પુનર્વિચાર અરજી દાખલ કરશે. પાર્ટીના સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર આ મામલે રિવ્યુ પિટિશન દાખલ કરી ચૂકી છે. જેને લઈને કોંગ્રેસ તરફથી સરકાર વિરુદ્ધ નિવેદનો પણ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી હત્યા કેસમાં છ દોષિતોને નિર્દોષ જાહેર કરવાને પડકારતી નવી સમીક્ષા અરજી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. કોર્ટે આ આદેશ ગુનેગારોને સજામાં માફી માટે તમિલનાડુ સરકારની ભલામણના આધારે આપ્યો હતો.
કેન્દ્રએ તેની અરજીમાં કહ્યું હતું કે, દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારને બોલવાની પૂરતી તક આપ્યા વિના લેવામાં આવ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, સુનાવણી દરમિયાન પ્રક્રિયાગત ચૂક થઈ જેના કારણે કેસમાં કેન્દ્ર સરકારની સંડોવણી નજીવી રહી. કેન્દ્રએ તેને ન્યાય આપવામાં વિફળતા જણાવી હતી. રાજીવ ગાંધીની હત્યાના તમામ છ આરોપી પર ચુકાદો સંભળાવતી વખતે, સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, જેલમાં બંધ આરોપીઓ એસ નલિની, જયકુમાર, આરપી રવિચંદ્રન, રોબર્ટ પિયાસ, સુતેન્દ્રરાજા અને શ્રીહરન સારા વર્તન માટે જેલમાંથી મુક્ત થયા છે.
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ તમામ પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. 21 મે 1991ના રોજ તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પૂર્વ પીએમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતું.
કોર્ટે સ્વીકાર્યું હતું કે, દોષિતોએ 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા હતા અને સજા દરમિયાન તેમનું વર્તન સારું હતું. આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલા જ અન્ય દોષિત એજી પેરારીવલનને મુક્ત કરી દીધો હતો. તે આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યો હતો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું, જેણે તેમની મુક્તિને મજબૂત બનાવી હતી. જો કે કેન્દ્ર સરકારની સાથે કોંગ્રેસ પાર્ટી પણ દોષિતોને છોડવાના વિરોધમાં છે.
Related Articles
કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી
કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આ...
સોનાની આક્રમક તેજીમાં વિરામ, સળંગ બીજા દિવસે કિંમતો ઘટી
સોનાની આક્રમક તેજીમાં વિરામ, સળંગ બીજા દ...
Apr 23, 2024
ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોનું રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન, 10મી મેથી ઊમટશે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોનું રેકોર્...
Apr 22, 2024
‘હું રોજ ઈન્સ્યુલિન માંગું છું, તિહાર તંત્ર ખોટું બોલી રહ્યું છે’ કેજરીવાલે જેલ સુપ્રિટેન્ડેન્ટને લખ્યો પત્ર
‘હું રોજ ઈન્સ્યુલિન માંગું છું, તિહાર તં...
Apr 22, 2024
રાષ્ટ્રપતિ મુર્મૂ આજે ગુજરાતની 6 હસ્તીઓ સહિત 132 લોકોને એનાયત કરશે
રાષ્ટ્રપતિ મુર્મૂ આજે ગુજરાતની 6 હસ્તીઓ...
Apr 22, 2024
અરવિંદ કેજરીવાલને HCથી ફટકો, 75 હજારનો દંડ ફટકાર્યો
અરવિંદ કેજરીવાલને HCથી ફટકો, 75 હજારનો દ...
Apr 22, 2024
Trending NEWS
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
22 April, 2024
Apr 23, 2024