અનામતની આગ: કોણ છે એ ત્રણ વિદ્યાર્થીઓ જેમના આંદોલનથી શેખ હસીનાની ખુરશી હોમાઈ
August 06, 2024

બાંગ્લાદેશમાં તાજેતરમાં જ સ્વાતંત્ર્ય સેનાનીના વંશજો માટે નોકરીમાં 30% ક્વોટાને હાઈકોર્ટે મંજૂરી આપતા દેશમાં જોખમી તંગદિલી ઊભી થઈ હતી. કુલ 17 કરોડની વસતીવાળા આ દેશમાં લગભગ સવા ત્રણ કરોડ યુવા બેરોજગારો છે. દેશના વિદ્યાર્થી આલમે હાઈકોર્ટના આ આદેશનો વિરોધ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓના સંતાનો માટેના ક્વોટાને રદ કરવાની માંગ સાથે વ્યાપક વિરોધ કર્યો છે. જ્યારે આ આંદોલન વિરુદ્ધ શેખ હસીના સરકારે સખ્તી અપનાવી તો તે તેમને જ સત્તા પરથી હટાવવાના આંદોલનમાં ફેરવાઈ ગયું. છેવટે સ્થિતિ એટલી વણસી ગઈ કે, શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું અને તેઓ દેશ છોડીને ભાગી ગયા. તેઓ હાલમાં ભારતમાં છે. આ વચ્ચે હવે દરેક લોકો એ જાણવા માંગે છે કે, અંતે આટલું મોટું આંદોલન અચાનક કેવી રીતે ઊભું થયું અને તેની પાછળ કોણ છે. આ આંદોલન પાછળ ત્રણ વિદ્યાર્થીઓનો મોટો હાથ છે. નાહીદ ઈસ્લામ, આસિફ મહમૂદ અને અબુ બકર મજુમદાર. ત્રણેય વિદ્યાર્થીઓ ઢાકા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને અનામત સામેના આંદોલનના નેતા હતા.એક અહેવાલ પ્રમાણે ત્રણેયનું 19 જુલાઈના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની આકરી પૂછપરછ કરવામાં આવી અને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 26 જુલાઈના રોજ તેમને છોડી દેવામાં આવ્યા હતા. આ પછી આ લોકોએ ફરી આંદોલનને આગળ વધાર્યું અને લગભગ 10 જ દિવસમાં જ તખ્તાપલટ થઈ ગયો. હવે કમાન સેનાના હાથમાં છે. વચગાળાની સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આ ત્રણ વિદ્યાર્થી નેતાઓની પણ મહત્વની ભૂમિકા છે.આ ત્રણેય વિદ્યાર્થીઓએ આજે એક વિડિયો જારી કરીને એલાન કર્યું કે, વચગાળાની સરકારના પ્રમુખ ડૉ. યુનુસ હશે, જેઓ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી છે. આંદોલનનો સૌથી મોટો ચહેરો નાહિદ ઈસ્લામ વિશે વાત કરીએ તો તે ઢાકા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છે. તે એ આંદોલનનો નેતા છે જેનું નામ સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન મુવમેન્ટ છે. SADMના બેનર હેઠળ વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે, બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવે. આ અંતર્ગત બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારા લોકોના પરિવારોને 30% આરક્ષણ મળે છે. બાંગ્લાદેશમાં કુલ 56% અનામત ફર્સ્ટ અને સેકેન્ડ ક્લાસ નોકરીઓમાં મળે છે. આ સિસ્ટમને ભેદભાવપૂર્ણ અને તેનો ઉપયોગ રાજકીય લાભ માટે થાય છે તેવું કહેવાય છે. નાહીદ ઈસ્લામના અન્ય સહયોગી આસિફ મહમૂદ ઢાકા યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રનો વિદ્યાર્થી છે. અબુ બકર મજુમદાર પણ ઢાકા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યો છે. તે ભૂગોળનો વિદ્યાર્થી છે અને બાંગ્લાદેશનો ઈતિહાસ બદલવામાં વ્યસ્ત છે. ચળવળમાં ભાગ લેવા બદલ અબુ બકરનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણેય વિદ્યાર્થી નેતાઓની ઉંમર 25 વર્ષની આસપાસ છે.
Related Articles
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ તરફ? પુતિનના નિવેદન બાદ ઝેલેન્સ્કી પણ ખુશ
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ સમાપ્તિ...
May 11, 2025
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન
મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક ય...
May 11, 2025
રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરામ... ચાર દેશોએ મુલાકાત કર્યા બાદ ઝેલેન્સ્કીની જાહેરાત
રશિયા-યુક્રેન વચ્ચે 30 દિવસનું યુદ્ધવિરા...
May 11, 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશ...
May 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ' લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને 'લાસ્ટ ચાન્સ'
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્...
May 10, 2025
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત...
May 10, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025