મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકરનું સ્ટેચ્યુ સ્થાપિત કરાશે
February 28, 2023
મુંબઈ: મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની એક મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. સચિન તેંડુલકરને તેમના 50માં જન્મદિવસ પર વિશેષ ભેટ મળવા જઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવશે. જણાવી દઇએ કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે વાનખેડે સ્ટેડિયમમાં પહેલેથી જ સ્ટેન્ડ છે. સચિનને સન્યાસના 10 વર્ષ બાદ આ વિશેષ સન્માન મળવા જઈ રહ્યુ છે. સચિને પોતાના કરિયરની છેલ્લી મેચ આ જ મેદાનમાં રમી હતી અને તેમણે પોતાના કરિયરની શરૂઆત પણ આ જ મેદાનથી કરી હતી. સચિનના સ્ટેચ્યુનું અનાવરણ તેના 50મા જન્મદિવસ પર 23 એપ્રિલે અથવા આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવી શકે છે. સચિનનું સ્ટેચ્યુ ક્યાં સ્થાપિત કરવુ તે સચિને પોતે જ નક્કી કર્યુ છે. એટલા માટે તેઓ પોતાની પત્ની અંજલી સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અમોલ કાલે પણ સ્ટેડિયમમાં હાજર હતા.
સચિને તેના સ્ટેચ્યુ વિશે કહ્યું કે, આ તેના માટે એક સુખદ ભેટ છે. તેને આ વિશે કોઈ ખ્યાલ નહોતો અને તે સ્ટેચ્યુ વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સચિને કહ્યું કે, આ મેદાન પર તેની કારકિર્દીની શરૂઆત થઈ અને તેની પાસે ઘણી અવિસ્મરણીય યાદો છે. તેની કારકિર્દીની સૌથી ખુશીની ક્ષણ વર્ષ 2011માં આવી જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો. સચિને એ પણ જણાવ્યું કે, તેના કોચ રમાકાંત આચરેકરે આ મેદાન પર તેનામાં ક્રિકેટ પ્રત્યે અલગ રસ જગાડ્યો હતો અને તે આ રમતમાં કારકિર્દી બનાવવા માટે મક્કમ હતા. એટલા માટે આ મેદાન તેમના માટે ખાસ છે અને અહીં પ્રતિમા હોવી એ ખૂબ મોટી વાત છે. સચિને ભારત માટે 200 ટેસ્ટ, 463 વનડે અને 1 T20 રમ્યો છે. એક્રોસ ધ ફોર્મેટ સચિનના નામે 34,357 રન છે. વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી મારવાનો રેકોર્ડ પણ માસ્ટર બ્લાસ્ટરના નામે છે.
સચિને તેના સ્ટેચ્યુ વિશે કહ્યું કે, આ તેના માટે એક સુખદ ભેટ છે. તેને આ વિશે કોઈ ખ્યાલ નહોતો અને તે સ્ટેચ્યુ વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સચિને કહ્યું કે, આ મેદાન પર તેની કારકિર્દીની શરૂઆત થઈ અને તેની પાસે ઘણી અવિસ્મરણીય યાદો છે. તેની કારકિર્દીની સૌથી ખુશીની ક્ષણ વર્ષ 2011માં આવી જ્યારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો. સચિને એ પણ જણાવ્યું કે, તેના કોચ રમાકાંત આચરેકરે આ મેદાન પર તેનામાં ક્રિકેટ પ્રત્યે અલગ રસ જગાડ્યો હતો અને તે આ રમતમાં કારકિર્દી બનાવવા માટે મક્કમ હતા. એટલા માટે આ મેદાન તેમના માટે ખાસ છે અને અહીં પ્રતિમા હોવી એ ખૂબ મોટી વાત છે. સચિને ભારત માટે 200 ટેસ્ટ, 463 વનડે અને 1 T20 રમ્યો છે. એક્રોસ ધ ફોર્મેટ સચિનના નામે 34,357 રન છે. વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી મારવાનો રેકોર્ડ પણ માસ્ટર બ્લાસ્ટરના નામે છે.
Related Articles
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની તોફાની બેટિંગ વચ્ચે લખનઉનો આ ફેન વાયરલ
ચેન્નઈના બોલરોની ધોલાઈ કરતાં સ્ટોઇનિશની...
IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથી વધુ આ ટીમે ફટકાર્યા
IPLમાં પ્રતિ મેચમાં સરેરાશ 17 છગ્ગા, સૌથ...
Apr 24, 2024
મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને મળી મોટી સફળતા, પેરિસ ઓલિમ્પિક માટે 50 કિલો કેટેગરીમાં મેળવ્યું સ્થાન
મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટને મળી મોટી સ...
Apr 22, 2024
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ જીતી ફોર્મમાં, આજે પોઈન્ટ ટેબલમાં નંબર વન રાજસ્થાન સામે ટકરાશે
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લી ચારમાંથી ત્રણ મેચ...
Apr 22, 2024
રૂ.24 કરોડના બોલરે કોલકાતાની નાવ લગભગ ડૂબાડી જ દીધી હતી! કેપ્ટન અય્યરે નામ લીધા વિના સાધ્યું નિશાન
રૂ.24 કરોડના બોલરે કોલકાતાની નાવ લગભગ ડૂ...
Apr 22, 2024
IPL 2024: કે.એલ. રાહુલે તોડ્યો મહેન્દ્ર સિંહ ધોનીનો મહારેકોર્ડ, લિસ્ટમાં દિનેશ કાર્તિકનું પણ નામ
IPL 2024: કે.એલ. રાહુલે તોડ્યો મહેન્દ્ર...
Apr 20, 2024
Trending NEWS
બંગાળના મુર્શીદાબાદમાં મતદાનની મંજૂરી નહીં આપીએ, ર...
24 April, 2024
ભાજપના 6 વખતના સાંસદને 'વિવાદ' પડી રહ્યો છે ભારે!...
24 April, 2024
પ્રચાર માટે અભિનેત્રી અને મુખ્યમંત્રી સામ-સામે મેદ...
24 April, 2024
‘કોંગ્રેસની નજર દેશના લોકોની સંપત્તિ પર...' PM મોદ...
24 April, 2024
એશાદેઓલે લિપ્સની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવ...
24 April, 2024
કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી
23 April, 2024
લડ્યા વગર ભાજપે સુરત જીત્યું તો ચૂંટણી પંચમાં ફરિય...
23 April, 2024
સોનાની આક્રમક તેજીમાં વિરામ, સળંગ બીજા દિવસે કિંમત...
23 April, 2024
6.3ની તીવ્રતાથી ધણધણી ઊઠ્યું તાઈવાન, 20 દિવસમાં બી...
23 April, 2024
મલેશિયામાં બે સૈન્ય હેલિકોપ્ટરની હવામાં થઈ જોરદાર...
23 April, 2024
Apr 24, 2024