"ટીમ ઈન્ડિયામાં નથી મળી રહ્યો મોકો, જલ્દી જ સંન્યાસ લઈ શકે છે આ ત્રણ સ્ટાર ખેલાડી"
July 23, 2024
ભારતીય ટીમ આગામી સીરિઝ રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. જ્યાં ટીમ શ્રીલંકા સામે 3-3 વનડે અને T20 મેચની સીરિઝ રમશે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ઘરઆંગણે અનેક ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં ભારત બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની યજમાની કરશે. આ લાંબી ટેસ્ટ મેચો માટે ભારતની ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આ ટુર્નામેન્ટ દરમિયાન પણ ત્રણ ખેલાડીઓને રમવાની તક નહીં મળે. કારણ કે ઘણાં લાંબા સમયથી ટીમમાં પસંદગી માટે તેમની અવગણના કરવામાં આવી રહી છે અને હવે ત્રણેય ખેલાડીઓની ઉંમર પણ વધી રહી છે. માટે એવી શક્યતા છે કે તેઓ ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ શકે છે. કોણ છે આ ત્રણ ખેલાડી? ચાલો જાણીએ
અજિંક્ય રહાણે : અજિંક્ય રહાણે ભારતીય ટીમનો મહત્વનો ભાગ રહ્યો છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારત માટે મહત્વની ઇનિંગ રમી હતી. જો કે ભારત આ મેચ જીતી શક્યું ન હતું. પરંતુ અજિંક્યએ તે મેચમાં સારો દેખાવ કર્યો હતો. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ સીરિઝ બાદથી તે સતત ટીમની બહાર છે. જો તેના રેકોર્ડની વાત કરીએ તો અજિંક્ય રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચોમાં 49.50ની સરેરાશથી 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે.
ચેતેશ્વર પૂજારા : ભારતીય ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડીમાનો એક ચેતેશ્વર પૂજારા ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પછીથી ટીમની બહાર છે. તેણે પોતાની છેલ્લી મેચ જુલાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ તેને બીજી તક આપવામાં આવી ન હતી. તેના વિશે ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, જો પૂજારા ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે તો તેની વાપસી થશે. શાનદાર દેખાવ કરવા છતાં પણ હજુ સુધી પુજારાની પસંદગી કરવામાં આવી નથી. તેની ઉંમર પણ વધી રહી છે. તેથી એવું કહેવું ખોટું નહીં કે તે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે. પૂજારાએ અત્યાર સુધીમાં 103 ટેસ્ટ રમી છે. આ મેચોની 176 ઇનિંગ્સમાં 43.60ની સરેરાશથી 7195 રન બનાવ્યા છે.
ઉમેશ યાદવ : ઉમેશ યાદવ પણ પુજારાની જેમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ટીમ માંથી બહાર ફેંકાઈ ગયો હતો. ગયા વર્ષે જુલાઈમાં રમાયેલી આ મેચમાં તેનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો હતો. જેના કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામેની મેચ હારી ગયું હતું. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે ટીમમાં તેની વાપસી પણ મુશ્કેલ લાગી રહી છે. તેની ઉંમર પણ વધી રહી છે. તેથી શક્યતા છે કે તે પણ ટૂંક સમયમાં નિવૃત્ત લઇ શકે છે. ઉમેશ યાદવે ભારતીય ટીમ માટે ટેસ્ટમાં 170 અને વનડેમાં 106 વિકેટ ઝડપી છે.
અજિંક્ય રહાણે : અજિંક્ય રહાણે ભારતીય ટીમનો મહત્વનો ભાગ રહ્યો છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારત માટે મહત્વની ઇનિંગ રમી હતી. જો કે ભારત આ મેચ જીતી શક્યું ન હતું. પરંતુ અજિંક્યએ તે મેચમાં સારો દેખાવ કર્યો હતો. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ સીરિઝ બાદથી તે સતત ટીમની બહાર છે. જો તેના રેકોર્ડની વાત કરીએ તો અજિંક્ય રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચોમાં 49.50ની સરેરાશથી 12 સદી અને 26 અડધી સદી ફટકારી છે.
ચેતેશ્વર પૂજારા : ભારતીય ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડીમાનો એક ચેતેશ્વર પૂજારા ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પછીથી ટીમની બહાર છે. તેણે પોતાની છેલ્લી મેચ જુલાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ તેને બીજી તક આપવામાં આવી ન હતી. તેના વિશે ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, જો પૂજારા ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે તો તેની વાપસી થશે. શાનદાર દેખાવ કરવા છતાં પણ હજુ સુધી પુજારાની પસંદગી કરવામાં આવી નથી. તેની ઉંમર પણ વધી રહી છે. તેથી એવું કહેવું ખોટું નહીં કે તે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે. પૂજારાએ અત્યાર સુધીમાં 103 ટેસ્ટ રમી છે. આ મેચોની 176 ઇનિંગ્સમાં 43.60ની સરેરાશથી 7195 રન બનાવ્યા છે.
ઉમેશ યાદવ : ઉમેશ યાદવ પણ પુજારાની જેમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ટીમ માંથી બહાર ફેંકાઈ ગયો હતો. ગયા વર્ષે જુલાઈમાં રમાયેલી આ મેચમાં તેનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો હતો. જેના કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામેની મેચ હારી ગયું હતું. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે ટીમમાં તેની વાપસી પણ મુશ્કેલ લાગી રહી છે. તેની ઉંમર પણ વધી રહી છે. તેથી શક્યતા છે કે તે પણ ટૂંક સમયમાં નિવૃત્ત લઇ શકે છે. ઉમેશ યાદવે ભારતીય ટીમ માટે ટેસ્ટમાં 170 અને વનડેમાં 106 વિકેટ ઝડપી છે.
Related Articles
19 છગ્ગા સાથે 55 બોલમાં 165 રન ફટકાર્યા: T20માં LSGના બેટરે તોફાન મચાવ્યું
19 છગ્ગા સાથે 55 બોલમાં 165 રન ફટકાર્યા:...
ICCના ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, બાબરની ખરાબ હાલત, વિરાટ-જયસ્વાલ ચમક્યાં
ICCના ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, બાબ...
Aug 28, 2024
મારા કરિયરનો અંત હવે દૂર નથી! KL રાહુલે રીટાયરમેન્ટ અંગે ખુલાસો કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા
મારા કરિયરનો અંત હવે દૂર નથી! KL રાહુલે...
Aug 28, 2024
ક્રિકેટમાં પણ AIનો ઉપયોગ: પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સિલેક્શન કરશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ !
ક્રિકેટમાં પણ AIનો ઉપયોગ: પાકિસ્તાન ક્રિ...
Aug 28, 2024
મારા કરીઅરનો અંત હવે દૂર નથી! લોકેશ રાહુલે ખુલાસો કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા
મારા કરીઅરનો અંત હવે દૂર નથી! લોકેશ રાહુ...
Aug 27, 2024
પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે શરમજનક હાર બાદ PCB ચેરમેન અકળાયા
પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે શરમજનક હાર બ...
Aug 27, 2024
Trending NEWS
પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સો.મીડ...
31 August, 2024
કેદારનાથમાં હેલિકોપ્ટર નીચે પડ્યું
31 August, 2024
શિંદેના નેતાએ કહ્યું- અજીત પવારની બાજુમાં બેસું તો...
30 August, 2024
હરિદ્વાર જતી ભક્તોથી ભરેલી બસ સામે બળદ આવી જતાં પલ...
30 August, 2024
જમ્મુ અને કાશ્મીરમાં પત્તું કપાતા નારાજ વરિષ્ઠ નેત...
30 August, 2024
હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું, મૂર્ત...
30 August, 2024
હરિયાણામાં પણ ભાજપનું કોકડું ગુંચવાયું! પહેલી યાદી...
30 August, 2024
ઉત્તરપ્રદેશમાં દુષ્કર્મની ઘટના બાદ કોમી રમખાણ; તોડ...
30 August, 2024
વડોદરામાં પૂરના પાણી ઉતર્યાના 48 કલાક બાદ પણ ફતેગં...
30 August, 2024
મચ્છુએ વેર્યો વિનાશ: ઘર-દુકાનો પાણીમાં, લોકો ખાધા-...
30 August, 2024
Aug 31, 2024