કેનેડામાં ઈચ્છા મૃત્યુનો કાયદો સમસ્યા બન્યો, 2023થી સગીરોને પણ મળશે મંજૂરી : એક વર્ષમાં 10 હજાર લોકોએ આત્મહત્યા કરી

December 05, 2022

કેનેડામાં ઈચ્છા મૃત્યુ સમસ્યા બની રહી છે. અહિંયા ગયા વર્ષે એટલે કે 2021માં 10 હજારથી વધુ લોકોએ ઈચ્છા મૃત્યુથી પોતાનો જીવ ગુમાવ્યો. કેનેડામાં એક વર્ષમાં થયેલા કુલ મોતના આંકડા કરતા 3% વધુ છે. હવે 4
મહિના પછી માર્ચ 2023માં માનસિક રીતે અસ્થિર લોકોને પણ ઈચ્છા મૃત્યુની મંજૂરી મળશે.

જે અંતર્ગત સગીર લોકોને પણ ઈચ્છા મૃત્યુનો અધિકાર આપવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં ઈચ્છામૃત્યુને કારણે, 'ધ ડીપ પ્લેસીસઃ અ મેમોયર ઓફ ઈલનેસ એન્ડ ડિસ્કવરી'ના લેખક રોસ ડાઉથટ કહે છે- જ્યારે એક
વર્ષમાં 10 હજારથી વધુ લોકો ઈચ્છા મૃત્યુ કરી રહ્યા છે, ત્યારે ઈચ્છા મૃત્યુની મંજૂરી કોઈ સિવિલ સોસાયટીની નથી રહેતી, પરંતુ આ એક આતંકનું સામ્રાજ્ય બની જાય છે.

રોસ કહે છે- દેશમાં મોટાભાગના લોકો ઈચ્છા મૃત્યુની પરવાનગીના સમર્થનમાં. તેમનું માનવું છે કે સન્માન સાથે જીવવું અને મરવું એ માણસનો અધિકાર છે. એસોસિએટેડ પ્રેસના મારિયા ચેંગે તેમના અહેવાલમાં જણાવ્યું છે કે
કેનેડામાં આરોગ્ય કર્મચારીઓ એવા લોકોને પણ ઈચ્છામૃત્યુની સલાહ આપી રહ્યા છે જેઓ આર્થિક તંગીથી પરેશાન છે અને આત્મહત્યા વિશે વિચારવા લાગ્યા છે.

રોસે કહ્યું- સ્વાભાવિક રીતે આ એક વિનાશકારી વિચાર છે. જો આ વિશે કંઈ વિચારવામાં નહીં આવે, તો આવનારા સમયમાં એવો સમાજ તૈયાર થશે, જ્યાં લોકો મોતને શ્રેષ્ઠ ગણશે અને માનવતાનો અંતિમ અધ્યાય શરૂ થશે.