જે ભારતનું ખાય, નદીઓનું પાણી પીવે તે હિન્દુ છેઃ આરિફ મોહમ્મદ ખાન

January 28, 2023

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે તિરૂવનંતપુરમમાં હિંદુ કોન્કલેવમાં ભાગ લીધો હતો
તિરૂવનંતપુરમ- કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે તિરૂવનંતપુરમમાં હિંદુ કોન્કલેવમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આર્ય સમાજના લોકો દ્વારા કરવામાં આવેલા સ્વાગત દરમિયાન તેઓ મારા યોગદાનનું સમ્માન કરે છે પણ મારી એક ફરિયાદ છે કે તેઓ મને હિંદુ કેમ નથી કહેતા? તેમણે કહ્યું કે મને નથી લાગતું કે હિંદુ એક ધાર્મિક શબ્દ છે. પરંતુ તે એક ભૌગોલિક શબ્દ છે. 


જે પણ વ્યક્તિ ભારતમાં પેદા થયો છે, જે ભારતમાં ઉત્પાદિત અન્ન ખાય છે, જે ભારતની નદીઓનું પાણી પીવે છે તે ખુદને હિન્દુ કહેવાનો હકદાર છે. તમારે મને હિન્દુ કહેવો જોઈએ. તેમણે બીબીસી ડોક્યુમેન્ટરીને લઈને કહ્યું હતું કે, બ્રિટિશ રાજમાં કોઇ ડોક્યુમેન્ટરી કેમ ના બની? જ્યારે કલાકારોના હાથ કાપની નાંખવામાં આવ્યા ત્યારે કોઈ ડોક્યુમેન્ટરી કેમ ના બનાવવામાં આવી. જે લોકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતાં કે ભારત  અંદરો અંદર લડી મરશે તેમની માનસિકતા હવે નિરાશ થઈ ગઈ છે. કારણ કે ભારત કંઈક સારુ કરી રહ્યો છે.