વિરાટ-અનુષ્કાએ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરી

March 04, 2023

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા શનિવારે સવારે મહાકાલ મંદિર પહોંચ્યા હતા. અહીં બંનેએ સવારે 4 વાગે ભસ્મ આરતીમાં સામેલ થઈને ભાગવાનના આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ વિરાટ કોહલીએ મીડિયાને જય મહાકાલ કહ્યું હતું. તો આ તરફ અનુષ્કાએ પણ કહ્યું હતું કે ભગવાન મહાકાલના આશીર્વાદ લઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે.

દેશભરમાં ભગવાન મહાકાલના આશીર્વાદ લેવા વીઆઈપી શ્રદ્ધાળુઓની ભીડ મહાકાલ મંદિરે લાગી રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની સાથે લગભગ દોઢ કલાક સુધી નંદી હોલમાં બેસીને આશીર્વાદ લીધા હતા. આરતી બાદ બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃત અભિષેક કર્યો હતો.