જળ સંકટ : આજવા ડેમમાં 24મી જૂન સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું
May 14, 2022

આજવા સરોવરમાંથી દરરોજ 15 કરોડ લિટર પાણી લેવાય છે અને દક્ષિણ તથા પૂર્વ વિસ્તારમાં વિતરણ કરાય છે. એ બાદ આજે તા.9મીમેના રોજ આજવામાં પાણીનુ લેવલ ઘટીને 207.૩5 ફૂટ થઈ ગયુ છે. હવે સરોવરમાં માંડ 272 મિલયન ક્યુબીક ફૂટ એટલે કે 771 કરોડ લિટર પાણી સંગ્રહાયેલુ છે એટલે કે એક અંદાજ મુજબ 24મી જૂન સુધી ચાલે એટલુ જ પાણી ડેમમાં બચ્યુ છે.
ઐતિહાસીક આજવા સરોવરમાં મહત્તમ પાણીની સંગ્રહ શક્તિ 214 ફૂટ છે. જ્યારે તે સરોવરમાં 205 ફૂટ સુધી પાણીનુ લેવલ હોય તો જ ગ્રેવિટીથી પાણી મેળવી શકાય છે. આજવા સરોવરમાંથી રોજ 150 એમએલડી (મિલિયન લિટર પર ડે) એટલે કે 15 કરોડ લિટર પાણી દરરોજ લેવાય છે અને શહેરના દક્ષિણ તથા પૂર્વ વિસ્તારની 7 લાખની જનતાને વિતરણ કરાય છે.
રોજેરોજ પાણીનો જથ્થો લેવાતો હોવાથી આજવા સરોવરમાં પાણીનુ સ્તર સતત ઘટી રહ્યુ છે. આજે તા.9મી મેના રોજ આજવા ડેમમાં પાણીનુ લેવલ ઘટીને 207.૩5 ફૂટ થઈ ગયુ હતુ. એટલે કે આ લેવલે આજવા ડેમમાં 1166 એમસીએફટી (મિલિયન ક્યુબીટ ફૂટ) પાણીનો સંગ્રહ થયેલો છે. આજવા સરોવરમાંથી 205 ફૂટ સુધીના લેવલ સુધી જ ગ્રેવિટીથી પાણી મેળવી શકાય છે અને તે લેવલ સુધીમાં 928 એમસીએફટી પાણી હોય છે. એટલે કે આજવા સરોવરમાં હાલમાં અંદાજે 2૩8 એમસીએફટી પાણી સંગ્રહ થયેલુ છે.
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26...
May 22, 2022
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આત્મહત્યા
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આ...
May 22, 2022
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાનો અણસાર
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહ...
May 22, 2022
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્ર...
May 22, 2022
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી રેસ્ટોરન્ટ સીલ, AMCએ નોટિસ ફટકારી
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી...
May 22, 2022
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના ચકચારી કેસમાં 6 આરોપીને આજીવન કેદ
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના...
May 21, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022