PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? કેજરીવાલના સવાલથી RSS મોટી દુવિધામાં!
September 26, 2024
દિલ્હી : દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. જનતાની અદાલતમાં RSS ચીફ મોહન ભાગવતને પાંચ સવાલ પૂછ્યા બાદ હવે કેજરીવાલે તેમને પત્ર લખ્યો છે. કેજરીવાલે પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીના દુરુપયોગ અંગે સવાલ પૂછ્યા છે.
દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલે RSS ચીફને સૌથી છેલ્લો સવાલ પીએમ મોદી અંગે પૂછ્યો છે. તેમણે પૂછ્યું કે, તમે બધાએ મળીને કાયદો બનાવ્યો કે 75 વર્ષની ઉંમર બાદ ભાજપના નેતા નિવૃત થઈ જશે. આ કાયદાનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. આ જ કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ ભાજપના નેતાઓને નિવૃત પણ કરી દેવામાં આવ્યા. તો પીએમ મોદી નિવૃત થશે કે પછી તેમના માટે કાયદો બદલાઈ જશે?
પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કેટલાક અન્ય નેતાઓના ઉદાહરણ આપતા RSSને પૂછ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં આ કાયદા હેઠળ અન્ય ઘણા નેતાઓને નિવૃત કરવામાં આવ્યા જેમ કે, શાંતા કુમાર, સુમિત્રા મહાજન વગેરે. હવે ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે આ કાયદો PM મોદી પર લાગુ નહીં થશે. શું તમે આ બાબત સાથે સહમત છો કે જે કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણીને નિવૃત્ત કરવામાં આવ્યા, તે કાયદો હવે પીએમ મોદી પર લાગુ નહીં થશે. શું બધા માટે કાયદા સમાન ન હોવા જોઈએ?
અરવિંદ કેજરીવાલ સહીત તમામ વિપક્ષી પાર્ટીઓ લાંબા સમયથી કેન્દ્રની મોદી સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. કેજરીવાલે પોતાના લેટર દ્વારા RSS ચીફને પૂછ્યું કે દેશભરમાં અલગ-અલગ પ્રકારની લાલચ આપીને અથવા તો પછી ED-CBIની ધમકી આપીને બીજી પાર્ટીના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે. શું તમને આ મંજૂર છે? આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે રવિવારે જનતાની અદાલતને સંબોધિત કરતા RSS ચીફને આ જ સવાલ પૂછ્યો હતો.
Related Articles
મધ્યપ્રદેશમાં બે જૂથ વચ્ચે બબાલ! પથ્થરમારા બાદ ફાયરિંગ થતાં 1નું મોત, 7થી વધુ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશમાં બે જૂથ વચ્ચે બબાલ! પથ્થરમા...
અમેરિકામાં ફરી મંદિર પર હુમલો, 'હિન્દુઓ પાછા જાઓ'ના સૂત્રો લખ્યાં, હિન્દુમીસિયામાં ઉછાળો
અમેરિકામાં ફરી મંદિર પર હુમલો, 'હિન્દુઓ...
Sep 26, 2024
ઉત્સવ માતમમાં ફેરવાયો! આસ્થાની ડૂબકી લગાવવા જતાં બિહારમાં 40થી વધુ લોકોનાં મોત
ઉત્સવ માતમમાં ફેરવાયો! આસ્થાની ડૂબકી લગા...
Sep 26, 2024
ઝારખંડમાં બે ડબા પાટા પરથી ખડી પડ્યાં, વંદે ભારત પણ અટવાઈ ગઈ
ઝારખંડમાં બે ડબા પાટા પરથી ખડી પડ્યાં, વ...
Sep 26, 2024
'ઈતિહાસ બનવા જઈ રહ્યો છે': જમ્મુ-કાશ્મીરમાં રેકોર્ડ બ્રેક મતદાન વચ્ચે CEC રાજીવ કુમારની પ્રતિક્રિયા
'ઈતિહાસ બનવા જઈ રહ્યો છે': જમ્મુ-કાશ્મીર...
Sep 25, 2024
કર્ણાટકના મુખ્યમંત્રીને મોટો ઝટકો, જમીન કૌભાંડ અંગે MP-MLA કોર્ટનો કેસ નોંધવા નિર્દેશ
કર્ણાટકના મુખ્યમંત્રીને મોટો ઝટકો, જમીન...
Sep 25, 2024
Trending NEWS
25 September, 2024
25 September, 2024
25 September, 2024
25 September, 2024
25 September, 2024
25 September, 2024
25 September, 2024
25 September, 2024
25 September, 2024
25 September, 2024
Sep 26, 2024