મંગળનું રાશિ પરિવર્તન:મંગળ 16 જાન્યુઆરી સુધી વૃશ્ચિકમાં રહેશે; મિથુન, કન્યા અને મકર જાતકોને શુભફળ મળશે, દેશમાં હિંસા અને પ્રદર્શન વધવાની શક્યતા
December 04, 2021

5 ડિસેમ્બરના રોજ મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં આવી જશે અને 16 જાન્યુઆરી સુધી રહેશે. લગભગ આ 43 દિવસ સુધી મંગળની અસર દેશ-દુનિયા અને બધી જ રાશિઓ ઉપર રહેશે. આ ગ્રહની ચાલમાં ફેરફાર થવાથી વાતાવરણ બદલાશે. આ ગ્રહ જમીન, લોહી, સેના, પોલીસ, ગુસ્સો અને ઉત્સાહનો કારક ગ્રહ છે. મંગળના શુભ પ્રભાવથી તેની સાથે જોડાયેલાં શુભ ફળ મળે છે.
જ્યોતિષાચાર્ય જણાવે છે કે મંગળ-રાહુનો દૃષ્ટિ સંબંધ હોવાથી અંગારક યોગ બની રહ્યો છે. આ યોગના કારણે દેશના થોડા ભાગમાં ઝઘડો, હિંસા, પ્રદર્શન અને યાતાયાત દુર્ઘટનાઓ વધશે. મંગળની પોતાની જ રાશિમાં આવવું રિયલ અસ્ટેટ અને ઉદ્યોગ જગતમાં તેજીનો સંકેત આપી રહ્યું છે. દેશની સુરક્ષા ઉપર રૂપિયા ખર્ચ થશે. પ્રોપર્ટી ખરીદદારી અને વેચાણ વધશે. જમીનની કિંમતમાં અચાનક ઉતાર-ચઢાવ પણ આવી શકે છે.
પ્રાકૃતિક આપત્તિઓમાં ભૂકંપ, તોફાન કે લેન્ડ સ્લાઇડ્સ થવાની પણ શક્યતા છે. સંઘર્ષ, અશાંતિ, રોગ અને ઉપદ્રવ વધી શકે છે. લોકોમાં હ્રદયની બીમારી, ઈજા અને બ્લડ પ્રેશરની બીમારીઓ વધી શકે છે.
મંગળના રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ મિથુન, કન્યા અને મકર રાશિના લોકો ઉપર પડશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં નફો મળી શકે છે. ત્યાં જ, કર્ક, કુંભ અને મીન રાશિના લોકો ઉપર મિશ્રિત અસર જોવા મળશે. સફળતા તો મળશે પરંતુ ખર્ચ, મહેનત અને ભાગદોડ પણ રહેશે. આ સિવાય મેષ, વૃષભ, સિંહ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો ઉપર મંગળની અશુભ અસર રહેશે. આ રાશિના લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ શકે છે. નાની-મોટી ઈજા થવાની પણ શક્યતા છે.
Related Articles
મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ:ધન અને મકર સહિત પાંચ રાશિઓ માટે સારો સમય શરૂ થશે
મેષ રાશિમાં શુક્રનો પ્રવેશ:ધન અને મકર સહ...
May 23, 2022
વૈશાખ મહિનામાં ગણેશ પૂજા:19મીએ સંકષ્ટી ચોથ, આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે
વૈશાખ મહિનામાં ગણેશ પૂજા:19મીએ સંકષ્ટી ચ...
May 18, 2022
સૂર્યનું રાશિ પરિવર્તન:કર્ક અને ધન રાશિના લોકોને ધનલાભ અને સિંહ રાશિના નોકરિયાત જાતકોને ઉન્નતિના યોગ બનશે
સૂર્યનું રાશિ પરિવર્તન:કર્ક અને ધન રાશિન...
May 17, 2022
મોહિની એકાદશીનું ફળ:મનોકામના પૂર્ણ કરતું મોહિની એકાદશીના વ્રતનું મહત્વ, પૂજાની વિધિ વિશે જાણો
મોહિની એકાદશીનું ફળ:મનોકામના પૂર્ણ કરતું...
May 11, 2022
મંગળવારે જાનકી જયંતીઃ આ દિવસે વ્રત અને પૂજા કરવાથી 16 પ્રકારના દાનનું પુણ્ય મળે છે
મંગળવારે જાનકી જયંતીઃ આ દિવસે વ્રત અને પ...
May 09, 2022
આજથી ચારધામ યાત્રા શરૂ: શ્રદ્ધાળુઓને દર્શન માટે જવાની મર્યાદા કરાઇ નક્કી
આજથી ચારધામ યાત્રા શરૂ: શ્રદ્ધાળુઓને દર્...
May 03, 2022
Trending NEWS

28 May, 2022