અયોધ્યામાં રામલલ્લાના દર્શન બાદ PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

May 06, 2024

PM મોદી અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે. PM મોદીએ ભગવાન શ્રી રામના મંદિરે પહોંચીને રામલલાની પૂજા અર્ચના કરી હતી અને રામલલ્લાના દર્શન અને પૂજા બાદ PM મોદીનો ભવ્ય રોડ-શો શરૂ થઈ ગયો છે. આ ભવ્ય રોડ શોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ PM મોદી સાથે હાજર રહ્યાં છે.

અયોધ્યા પહોંચ્યા બાદ PM મોદીનું એક ટ્વીટ આવ્યું હતું. જેમાં PM મોદીએ કહ્યું કે, અયોધ્યાના લોકોનું દિલ પણ ભગવાન શ્રી રામ જેટલું જ મોટું છે. તેમજ આ ભવ્ય રોડ શોમાં આશિર્વાદ આપવા આવેલી જનતાને અભિનંદન પાઠવ્યા હતાં. ભગવાન રામલલાના દર્શન કર્યા બાદ PM મોદીનો ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે.

PM મોદી એક ખુલ્લી જીપમાં સવાર થઈને અયોધ્યાવાસીઓનું અભિવાદન ઝીલી રહ્યાં છે. અયોધ્યામાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. આ પહેલા પીએમ મોદી ત્યાં લોકોની વચ્ચે પહોંચી ગયા છે અને લલ્લુ સિંહ માટે વોટ માંગી રહ્યા છે.