છત્તીસગઢમાં પૂરપાટ જતી બસે ઉભેલા ટ્રેલરને ટક્કર મારી : 15 મુસાફરો ઘાયલ, બસ ડ્રાઈવર અને કંડક્ટર ફરાર

May 04, 2024

છત્તીસગઢના બિલાસપુરમાં એક પૂરઝડપે જતી બસે નેશનલ હાઈવેની બાજુમાં ઉભેલા ટ્રેલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 15 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 7ની હાલત ગંભીર છે. આ ઘટના રતનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બસ અંબિકાપુરથી રાયપુર જઈ રહી હતી, જેમાં 30 મુસાફરો હતા. ઘટના બાદ બસનો ડ્રાઈવર અને કંડક્ટર ફરાર થઈ ગયા હતા.

સ્પીડમાં આવતી બસે નેશનલ હાઈવેની બાજુમાં ઉભેલા ટ્રેલરને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 15 મુસાફરો ઘાયલ થયા છે. 7ની હાલત ગંભીર છે. અકસ્માતની માહિતી મળતા જ રતનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રતનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રોયલ બસ અંબિકાપુરથી રાયપુર જઈ રહી હતી. બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. રતનપુરની BLT કોલેજ પાસે હાઈવેની બાજુમાં પાર્ક કરાયેલા ટ્રેલર સાથે બસ અથડાઈ હતી. આ બનાવ અંગે રતનપુર પોલીસ તપાસમાં વ્યસ્ત છે.