હૈદરાબાદમાં તોફાન બાદ ભારે વરસાદ, દિવાલ ધસી પડતાં 7ના મોત

May 08, 2024

હૈદરાબાદમાં મંગળવારે સાંજે વરસાદ અને તોફાનને કારણે વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જ્યારે વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા.

દરમિયાન, બુધવારે બચુપલ્લી વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન એપાર્ટમેન્ટની દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં 4 વર્ષના બાળક સહિત 7 લોકોના મોત થયા હતા. આ ઘટના મંગળવારે સાંજે બની હતી અને મૃતકો પરપ્રાંતિય કામદારો હતા જેઓ ઓડિશા અને છત્તીસગઢના રહેવાસી હતા.

બચુપલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે વહેલી સવારે એક એક્સેવેટરની મદદથી તેમના મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. મંગળવારે હૈદરાબાદ અને તેલંગાણાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે કેટલાક ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.