'વારસાગત ટેક્સ ભારતમાં નહીં ચાલે કારણ કે...' જાણીતાં અર્થશાસ્ત્રીએ કોંગ્રેસને આપ્યો જવાબ

May 08, 2024

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસમાં સામ પિત્રોડાની વારસાગત ટેક્સ (ઈનહેરિટેન્સ ટેક્સ) સંબંધિત ટિપ્પણી પર અર્થશાસ્ત્રી ગૌતમ સેને પલટવાર કર્યો છે. તેમણે કહ્યું, 'પહેલી વાત તો એ કે અમેરિકામાં વારસાગત ટેક્સ લગાવવામાં આવતો નથી. તેમની પાસે વારસાગત ટેક્સ નથી, તેને એસ્ટેટ ડ્યૂટી અને ગિફ્ટ ટેક્સ કહેવામાં આવે છે. અમેરિકામાં આ 2022 સુધી આ મૃતકોમાંથી 0.14% દ્વારા તેની ચૂકવણી કરવામાં આવી. 2.5 મિલિયન લોકોમાંથી માત્ર 0.14% એટલે કે સમગ્ર અમેરિકામાં 4000 લોકો જ એસ્ટેટ ડ્યૂટીના આધિન છે. મોટાભાગના એસ્ટેટને તેનાથી છુટ મળી છે. કેમ કે છુટની મર્યાદા ખૂબ વધુ એટલે કે 13.6 મિલિયન ડોલર છે. બીજી તરફ અમીરોના રૂપિયા વાસ્તવ ટ્રસ્ટની પાસે છે. તેથી અમેરિકાનું ઉદાહરણ ભારત માટે બિલકુલ પણ સારુ નથી.
તમામ ઘર અને વ્યવસાયોનો સર્વે કરવાનો પ્રસ્તાવ ઘણા કારણોથી અવ્યવહારુ છે. ભારતમાં 2.4% અથવા તેનાથી થોડા ઓછા લોકો આવકની ચૂકવણી કરે છે. તે ગ્રૂપમાં મને લાગે છે કે તેમાંથી વધુ સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 12 કરોડ લોકો કરતા વધુ નથી. તેમને વારસાગત ટેક્સ હેઠળ લાવવા મજબૂર કરવા માટે તમારે તેમના વ્યવસાયોને બંધ કરવા પડશે. તેનો અર્થ છે કે આગામી વર્ષોમાં આર્થિક અરાજકતા ફેલાશે. જેણે પણ આ વિચાર વિશે વિચાર્યું હતુ તે ખૂબ વાસ્તવિક રીતે વિચારી રહ્યા નહોતા. હવે આપણી પાસે જે કંઈ પણ છે તેમાં પહેલાની તુલનામાં એક એક ખૂબ મોટો સુધારો થયો છે. આપણી પાસે એક અવિશ્વસનીય સંયોજન છે જે લગભગ ક્યારેય પ્રાપ્ત કરી શકાયુ નહોતુ. આ રોકાણના માધ્યમથી સંપત્તિનું સર્જન અને પુનઃવિતરણની સાથે પાયાના માળખાનું સંયોજન છે. એટલે સુધી કે જો કંઈ મેળવી પણ લઈએ છીએ તો આ એક સમજદાર વિચાર નહીં હોય. આ તમને તમારા બાળકો અને પૌત્ર-પૌત્રીઓથી દૂર લઈ જશે. દરમિયાન જો કોઈ આવુ કરવા ઈચ્છે છે તો તે ભારતનો મિત્ર નથી. ભારતની રાજકીય અને આર્થિક અરાજકતા તાત્કાલિક ચીન-પાકિસ્તાન જેવા દેશોને આક્રમણ કરવા માટે ઉશ્કેરશે કેમ કે તે ભારતની સાથે હિસાબ બરાબર કરવા અને ભારતીય ક્ષેત્રને જપ્ત કરવાની તકની રાહ જોઈ રહ્યા છે. તેથી જે પણ આવુ કરવા ઈચ્છે છે તે ભારતનો મિત્ર નથી.