'પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી...' રાજનાથ સિંહના નિવેદન પર ફારુક અબ્દુલ્લા આ શું બોલી ગયા
May 06, 2024
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું. તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તાજેતરમાં જ એક ચૂંટણી રેલી દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે PoK અમારું હતું, છે અને રહેશે. આ પહેલા ભારતના વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે PoK ભારતનો ભાગ છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'જો સંરક્ષણ મંત્રીએ બોલવું હોય તો ભલે બોલે. આપણે તેમને રોકીએ એવી ક્યાં લાયકાત છે? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તેની પાસે પણ પરમાણુ બોમ્બ છે અને કમનસીબે એ પરમાણુ બોમ્બ આપણી ઉપર જ આવીને પડશે. રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ તેના પર બળજબરીથી કબજો કરવાની જરૂર નથી કારણ કે ત્યાંના લોકો કાશ્મીરમાં વિકાસ જોયા પછી પોતે ભારતનો ભાગ બનવા માંગશે.
Related Articles
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય કરી લો : CM કેજરીવાલનું મોટું નિવેદન
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્...
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4...
May 18, 2024
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કો...
May 18, 2024
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી, સ્વાતી માલીવાલ મારપીટ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી,...
May 18, 2024
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈ...
May 18, 2024
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની વીઝા ફ્રી એન્ટ્રી થશે!
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની...
May 18, 2024
May 18, 2024