પ્રચાર માટે પીએમ મોદી તેલંગણા પહોંચ્યા, બીઆરએસ-કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું
May 08, 2024
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પ્રચાર તેજ કર્યો છે. હવે આગામી તબક્કાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદી તેલંગણાના કરીમનગરમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ બીઆરએસ અને કોંગ્રેસ પાર્ટીને લઇને નિશાન સાધ્યું હતું.
તેલંગણામાં કોંગ્રેસ અને બીઆરએસ ફેમિલી ફર્સ્ટ લઇને ચાલે છે. બાય ધ ફેમિલી, ફોર ધ ફેમિલી, ઓફ ધ ફેમિલી એજ તેમની રમત છે. કોંગ્રેસ અને બીઆરએસમાં કોઇ અંતર નથી. તેઓ એક સિક્કાની જ બાજુ છે.કોંગ્રેસ અને બીઆરએસને ભ્રષ્ટાચાર જોડે છે. ફેમિલી ફર્સ્ટની આ નીતિને કારણે પી.વી નરસિમ્હા રાવનું અપમાન કર્યુ. કોંગ્રેસ કાર્યાલયમાં એન્ટ્રી પણ ન આપી. જ્યારે એનડીએ સરકારે પી.વી નરસિમ્હારાવને ભારત રત્નથી સન્માનિત કર્યા. મને તેમના પરિવાર સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો જે મારા માટે સૌભાગ્યની વાત છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે પરિવાર માટે દેશને ડૂબાડ્યો છે. પણ કોંગ્રેસ અને બીઆરએસના ગઠબંધનથી તેલંગણાને બચાવવાનું છે. કોંગ્રેસે દેશના સામર્થ્યને સમાપ્ત કરી દીધું. ુપીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર કોંગ્રેસ અને બીઆરએસનું કોમન કેરેક્ટર છે. બીઆરએસ વાળા કોંગ્રેસ પર કેશ ફોર વોટનો આરોપ લગાવતા હતા પરંતુ સત્તામાં આવ્યા પછી તપાસ તો કરાવી નહી.
Related Articles
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહ...
શોપિયાંમાં ભાજપ નેતાની હત્યા, અનંતનાગમાં કપલને ગોળી મારી
શોપિયાંમાં ભાજપ નેતાની હત્યા, અનંતનાગમાં...
May 19, 2024
રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ યાદવે ભાષણ વિના પરત જવું પડ્યું
રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ ય...
May 19, 2024
આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે - જે.પી.નડ્ડા
આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છ...
May 19, 2024
ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યાં 3 પ્લાન, દેખાવો વચ્ચે કેજરીવાલનો મોટો આક્ષેપ
ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યાં...
May 19, 2024
'ED અને CBI બંધ કરી દઈશું, હું પ્રસ્તાવ લાવીશ..' અખિલેશ યાદવનો મોટો દાવો
'ED અને CBI બંધ કરી દઈશું, હું પ્રસ્તાવ...
May 19, 2024
Trending NEWS
18 May, 2024
May 19, 2024