રાધિકા ખેડાનું રાજીનામું, કહ્યું- અયોધ્યા દર્શન કરવા ગયા હોવાથી વિરોધ થતો હતો
May 05, 2024
દિલ્હી : લોકસભા ચૂંટણીની મોસમ વચ્ચે છત્તીસગઢની જાણીતી નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. રાધિકા ખેડાએ કોંગ્રેસના નેશનલ મીડિયા કો-ઓર્ડિનેટર પદેથી રાજીનામું આપી દેતા લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘જે પક્ષમાં મેં 22 વર્ષ આપ્યા, ત્યાં મારો તીવ્ર વિરોધ થઈ રહ્યો છે કારણ કે હું અયોધ્યા (Ayodhya) શ્રીરામલલાના દર્શન કરવા ગઈ હતી. દેશવાસીઓના ન્યાય માટે હું સતત લડતી રહીશ.’
રાધિકાએ રાજીનામામાં લખ્યું છે કે, તમામ હિન્દુઓ માટે ભગવાન શ્રી રામનું પવિત્ર જન્મસ્થળ ઘણું મહત્વનું છે. શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કર્યા બાદ પોતાનું જીવન સફળ માની રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. મેં કોંગ્રેસ પાર્ટીમાં 22 વર્ષ જવાબદારી નિભાવી. મેં પાર્ટીના NSUIથી લઈને AICCના મીડિયા વિભાગમાં સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કર્યું. આજે મારે પાર્ટીમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હું અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરવા ગઈ હતી. ત્યાં જતા હું પોતાને રોકી શકી નથી.’
Related Articles
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ, જેની ધરપકડ કરવી હોય કરી લો : CM કેજરીવાલનું મોટું નિવેદન
કાલે તમામ મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્...
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4200ના ઉછાળા સાથે રેકોર્ડ સ્તરે
સોનુ ઓલટાઈમ હાઈની નજીક, ચાંદી અધધધ રૂ. 4...
May 18, 2024
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં લાગી આગ, વિદ્યાર્થીનીઓ ફસાઈ
તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના! આસામમાં કો...
May 18, 2024
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી, સ્વાતી માલીવાલ મારપીટ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે કેજરીવાલના PAની ધરપકડ કરી,...
May 18, 2024
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈ...
May 18, 2024
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની વીઝા ફ્રી એન્ટ્રી થશે!
રશિયા અને ભારત વચ્ચે થશે કરાર, ભારતીયોની...
May 18, 2024
May 18, 2024