'આ મારી છેલ્લી ચૂંટણી, બીજાને તક મળે...' કોંગ્રેસના દિગ્ગજ નેતાની જાહેરાતથી બધા જ હતપ્રભ
May 07, 2024
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આજે (સામમી મે) ત્રીજા તબક્કાના મતદાનના દિવસે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે,'આ મારી છેલ્લી ચૂંટણી છે કારણ કે હું 77 વર્ષનો છું. હવે નવા લોકોને તક આપવી જોઈએ.' કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજગઢ બેઠકથી ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકરોને 100 મીટરના દાયરાની બહાર ધકેલવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓ 100 મીટરના દાયરામાં છે અને તેમની પાસે ભગવાન રામના બેનરો અને પોસ્ટરો છે. કોંગ્રેસના નેતા પંકજ યાદવ પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ વધુ ગુનાહિત વલણ ધરાવતા ભાજપના લોકો આઝાદ ફરે છે.' કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ઈવીએમ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'ચચૌરામાં મતદાન મથક નંબર 24 પર મશીન કહે છે કે 50 મત પડ્યા છે, જ્યારે ત્યાં માત્ર 11 મત પડ્યા છે.' આ ઉપરાંત તેમણે કહ્યું કે, 'આ મારી છેલ્લી ચૂંટણી છે કારણ કે હું 77 વર્ષનો છું. નવા લોકોને તક આપવી જોઈએ.' દિગ્વિજય સિંહ 33 વર્ષ બાદ મધ્યપ્રદેશની રાજગઢ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની સામે વર્તમાન સાંસદ રોડમલ નાગરને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. અહીં બીએસપી તરફથી ડૉ.રાજેન્દ્ર સૂર્યવંશી મેદાનમાં છે.
Related Articles
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહ...
શોપિયાંમાં ભાજપ નેતાની હત્યા, અનંતનાગમાં કપલને ગોળી મારી
શોપિયાંમાં ભાજપ નેતાની હત્યા, અનંતનાગમાં...
May 19, 2024
રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ યાદવે ભાષણ વિના પરત જવું પડ્યું
રેલીમાં ભીડ બેકાબૂ: રાહુલ ગાંધી-અખિલેશ ય...
May 19, 2024
આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે - જે.પી.નડ્ડા
આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છ...
May 19, 2024
ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યાં 3 પ્લાન, દેખાવો વચ્ચે કેજરીવાલનો મોટો આક્ષેપ
ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા બનાવ્યાં...
May 19, 2024
'ED અને CBI બંધ કરી દઈશું, હું પ્રસ્તાવ લાવીશ..' અખિલેશ યાદવનો મોટો દાવો
'ED અને CBI બંધ કરી દઈશું, હું પ્રસ્તાવ...
May 19, 2024
Trending NEWS
કેનેડા : રહેવા-જમવાનો ખર્ચ વધુ અને નોકરીમાં ફાંફાં
18 May, 2024
May 19, 2024