15 દિવસથી ગુમ તારક મહેતાનો 'સોઢી' હજુ નથી મળ્યો, પરિવારનું દર્દ છલકાયું, કહ્યું - 'અમે પરેશાન..'

May 06, 2024

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર સોઢીનો રોલ પ્લે કરનાર એક્ટર ગુરુચરણ સિંહ સોઢીને લાપતા થયે 15 દિવસનો સમય થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી તેમના વિશે કોઈ ખાસ જાણકારી સામે આવી નથી. એક્ટરના ઘરના આ વાતથી ખૂબ પરેશાન છે. ખાસ કરીને તેમના પિતા વારંવાર મિડીયાની સામે એ પ્રાર્થના કરી રહ્યા છે કે બસ તેમનો પુત્ર સહી-સલામત ઘરે પાછો આવી જાય. તેમણે જ દિલ્હી પોલીસમાં પોતાનો પુત્ર ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. હવે એક વાર ફરીથી તેમણે પોતાના પુત્રને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગુરુચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું કે તેમને હજુ સુધી પોતાના પુત્ર ગુરુચરણ સિંહની કોઈ જાણકારી મળી નથી. અમે ખૂબ પરેશાન છીએ અને પોલીસના નવા અપડેટની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ.  22 એપ્રિલે તારક મહેતા શો માં સોઢીનો રોલ પ્લે કરનાર એક્ટર ગુરુચરણ સિંહ દિલ્હીથી મુંબઈ જવા માટે નીકળ્યો હતો પરંતુ તે મુંબઈ પહોંચ્યો નહીં. તે બાદથી એક્ટરને લઈને જુદી-જુદી વાતો સામે આવવા લાગી. પહેલા એવી જાણકારી સામે આવી કે તે ડિપ્રેશનમાં હતો અને પછી એ સમાચાર આવ્યા કે તે લગ્ન કરવાનો હતો. આ સિવાય આ મામલે એક અપડેટ એ પણ આવી હતી કે તેની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. એક્ટરે પોતાનો ફોન પાલમ એરપોર્ટની પાસે મૂક્યો અને ક્યાંક ગાયબ થઈ ગયો.