Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

જમ્મુ કાશ્મીરમાં BSFની એક પોસ્ટનું નામ 'સિંદૂર' રાખવા માટે મુકાયો પ્રસ્તાવ

May 27, 2025

જમ્મુ કાશ્મીરના સાંબામાં BSFની એક અગ્રીમ પોસ્ટનું નામ સિંદૂર રાખવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય બે પોસ્ટ શહીદોના નામે રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.  બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ઇન્સ્પેક્ટર જનરલ (રાજસ્થાન ફ્રન્ટિયર) એમએલ ગર્ગે સોમવારે (26 મે) જણાવ્યું હતું કે પાકિસ્તાને બાડમેર, જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગર જિલ્લામાં 413 ડ્રોન હુમલા કર્યા હતા, પરંતુ તે બધાને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

જોધપુરમાં બીએસએફ મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા, ગર્ગે પશ્ચિમી સરહદ પર ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફની સિદ્ધિઓ શેર કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ રાજસ્થાનમાં સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવ્યા, જેમાં ફલોદી એરબેઝનો પણ સમાવેશ થાય છે.પરંતુ સેનાએ જ્યાં અને જ્યારે જરૂર પડી ત્યારે બરાબર જવાબ આપ્યો.