CRPF જવાન પર મોટો ખુલાસો, આતંકી હુમલાના 6 દિવસ પહેલા પહલગામમાં હતો
May 27, 2025

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, દેશની તમામ ગુપ્તચર એજન્સીઓ ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓ પર કડક કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે જ, NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) એ CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ના જવાન મોતી રામ જાટની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. હવે આ મામલે એક અપડેટ આવ્યુ છે. આતંકવાદી હુમલાના 6 દિવસ પહેલા જ પહલગામમાં મોતી રામ જાટનું પોસ્ટિંગ સમાપ્ત થઈ ગયું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલા સીઆરપીએફ જવાન મોતી રામ જાટને આતંકવાદી હુમલાના છ દિવસ પહેલા જ પહલગામ પોસ્ટ પરથી બદલી કરવામાં આવી હતી. આરોપી ASI મોતી રામ જાટ ટ્રાન્સફર પહેલા પહેલગામમાં CRPFની 116મી બટાલિયનમાં તૈનાત હતો.
દિલ્હીથી મોતી રામ જાટની ધરપકડ કરનાર NIAએ જણાવ્યું હતું કે CRPF જવાન મોતી 2023 થી પૈસાના બદલામાં પાકિસ્તાનના PIOને દેશની ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોતી રામ જાટે ભારતીય સેનાની પ્રવૃત્તિઓ, હિલચાલની રીતો અને અન્ય ઘણી મહત્વપૂર્ણ વિગતો PIO સાથે શેર કરી હતી.
Related Articles
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરા...
May 28, 2025
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ...
May 28, 2025
યુપીમાં પોલીસનુ ઓપરેશન લંગડા, 10 શહેરોમાં પોલીસ-ગુનેગારો વચ્ચે અથડામણ
યુપીમાં પોલીસનુ ઓપરેશન લંગડા, 10 શહેરોમા...
May 28, 2025
યુપીની જે સ્કૂલમાં અમિતાભ બચ્ચનએ શિક્ષણ મેળવ્યું ત્યાંના પ્રિન્સિપાલની ડિગ્રી નકલી નીકળી
યુપીની જે સ્કૂલમાં અમિતાભ બચ્ચનએ શિક્ષણ...
May 28, 2025
બસ્તર નક્સલ મુક્ત ! ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાંથી દૂર કરાયુ
બસ્તર નક્સલ મુક્ત ! ડાબેરી ઉગ્રવાદ પ્રભા...
May 28, 2025
રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ
રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠક...
May 27, 2025
Trending NEWS

27 May, 2025

27 May, 2025