કેજરીવાલ-સિસોદિયા મુશ્કેલીમાં! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયની EDને મંજૂરી
January 15, 2025
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં દિલ્હી એલજી વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઈડીને સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલાં મંજૂરી લેવાની રહેશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, મારી અને અન્યની સામે ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણકે, ફરિયાદ નોંધતા પહેલા અધિકારીઓએ પૂર્વ પરવાનગી નહતી લીધી. ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને પત્ર લખીને કેસ ચલાવવા માટે મંજૂરીની માંગ કરી હતી. જેમાં લીકર કૌભાંડ મામલે કેજરીવાલ 'કિંગપિન અને પ્રમુખ ષડયંત્રકાર' જણાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ પર ચર્ચામાં મોડું થતા આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાની સિંગલ-જજ બેન્ચે કહ્યું કે, CAG રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે, તેથી દિલ્હી સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું બંધ કરી દીધું છે.
ભાજપે CAG રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, લીકર કૌભાંડથી દિલ્હીને 2026 કરોડ રૂપિયા મહેસૂલનું નુકસાન થયું હતું. ભાજપે દાવો કર્યો કે, દિલ્હી લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને લાંચ મળી છે.
દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, CAG રિપોર્ટ પર જે પ્રકારે તમે તમારા પગ પાછા ખેંચી લીધા છે, તેનાથી તમારી પ્રામાણિકતા પર શંકા ઊભી થાય છે. હાઈકોર્ટે આગળ ભાર આપતા કહ્યું કે, રિપોર્ટ તુરંત સ્પીકરને મોકલવો જોઈતો હતો અને તેના પર ગૃહમાં ચર્ચા શરૂ થવી જોઈતી હતી.
17 નવેમ્બર, 2021ને દિલ્હીની કેજરીવાલ સરકારે એક્સાઇઝ પોલિસી 2021-22 ને લાગુ કરી. નવી પોલિસી હેઠળ, દારૂના વેપારથી સરકાર બહાર આવી ગઈ અને બધી દુકાન ખાનગી હાથમાં જતી રહી. દિલ્હી સરકારનો દાવો હતો કે, નવી લીકર નીતિથી માફિયા રાજ ખતમ થશે અને સરકારના મહેસૂલમાં વધારો થશે. જોકે, આ નીતિ શરૂથી વિવાદમાં રહી અને જ્યારે હોબાળો વધ્યો તો 28 જુલાઈ 2022ને સરકારે રદ્દ કરી દીધી. કથિત લીકર કૌભાંડનો ખુલાસો 8 જુલાઈ, 2022ને દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિન નરેશ કુમારના રિપોર્ટથી થયો હતો. આ રિપોર્ટમાં તેઓએ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણાં મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હીના એલજી વી.કે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. આ રિપોર્ટમાં તેઓએ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણાં મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હીના એલજી વી.કે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. ત્યારબાદ સીબીઆઈએ 17 ઓગસ્ટ, 2022ના દિવસે ગુનો નોંધાયો. તેમાં પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો, તેથી મની લોન્ડ્રિંગની તપાસ માટે ઈડીએ પણ કેસ નોંધ્યો હતો.મુખ્ય સચિવે પોતાના રિપોર્ટમાં મનીષ સિસોદિયા પર ખોટી રીતે લીકર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. મનીષ સિસોદિયા પાસે આબકારી વિભાગ હતો. આરોપ લગાવવામાં આવ્યો કે, આ નીતિ દ્વારા લાઇસન્સ ધારકો લીકર કારોબારીઓને અનુચિત લાભ પહોંચાડવામાં આવ્યો. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો કે, કોવિડનું બહાનું બનાવીને મનમાની રીતે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરી દીધી. એરપોર્ટ જોનના લાઇસન્સ ધારકોએ પણ 30 કરોડ પરત કરી દીધાં. જો કે, આ રકમ જપ્ત કરવાની હતી.
Related Articles
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં...
Jun 15, 2026
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપ...
Jun 15, 2026
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા
મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમ...
Jun 15, 2026
TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત
TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, N...
Jun 14, 2026
ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક્યૂ
ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનુ...
Jun 14, 2026
રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર ઃ અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ?
રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર ઃ અમેરિકાની...
Jun 14, 2026
Trending NEWS
15 June, 2026
14 June, 2026
14 June, 2026
14 June, 2026
14 June, 2026
14 June, 2026
14 June, 2026
14 June, 2026
13 June, 2026
13 June, 2026