નરેશ ગોયલને 230 કરોડ આપ્યા છે, સુપ્રીમના જજના નામે ડિજીટલ અરેસ્ટ કરી 24 લાખ પડાવી લીધા
November 23, 2024

અમદાવાદ : અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝને નરેશ ગોયલે 230 કરોડ રૂપિયા આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને કાયદેસરની કાર્યવાહીના નામે ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ સુપ્રિમ કોર્ટમાં કેસ હોવાનું કહીને જજના નામે કોલ કરાવીને ડરાવ્યા બાદ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 24 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના જજના નામે વોટસએપ કોલ કરીને ભોગ બનનારને ડરાવવામાં આવ્યા : સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો
નવરંગપુરામાં આવેલા સંજીવની બંગ્લોઝમાં રહેતા કનૈયાલાલ બાફના (ઉ.વ.87)ને ગત 11મી નવેમ્બરના રોજ અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ટેલીકોમ રેગ્યુલેટર ઓથોરીટીના અધિકારી તરીકે આપીને ફોન બે કલાક બંધ કરીને કોલ સીબીઆઇમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. સીબીઆઈના અધિકારીના નામે કોલ કરનારે કનૈયાલાલને જણાવ્યું હતું કે તમારા વિરૃદ્ધ 230 કરોડ રૂપિયા નરેશ ગોયલને આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો છે. એટલું જ કોલ કરનારે એમ કહ્યું હતું કે તમે નરેશ ગોયલ સાથે ટેલીફોન પર વાત કર્યાના પુરાવા છે. તે પછી સુપ્રિમ કોર્ટના જજ ખન્નાના નામે કોલ આવ્યો હતો. તેણે એરેસ્ટ વોરંટની વાત કરીને કહ્યુ હતું કે જો તમે તપાસમાં સહયોગ નહી આપો તો તમારા દીકરા સામે પણ કાર્યવાહી થશે. તમે હાલ એરેસ્ટ છો અને તમે અમારી પરવાનગી વિના ક્યાય નહી જઇ શકો. ત્યારબાદ કનૈયાલાલ પાસેથી ફીક્સ ડીપોઝીટ અને અન્ય રોકાણની 24 લાખ જેટલી રકમ વેરિફીકેશન માટે એક એકાઉન્ટમાં મંગાવીને છેતરપિડી આચરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરી છે.
Related Articles
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળ...
Jul 11, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત, તપાસ કમિટી રચાઈ
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃ...
Jul 10, 2025
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 3નાં મોત
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં...
Jul 09, 2025
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ...
Jul 08, 2025
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા...
Jul 08, 2025
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
Trending NEWS

09 July, 2025

09 July, 2025
09 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025