નરોડામાં પુત્ર સાથે માતાએ કરેલા આપઘાતનો કેસ, પોલીસકર્મી પતિ સહિત સાસરિયાઓની ધરપકડ
December 08, 2024

અમદાવાદ : નરોડા વિસ્તારમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા ખુલાસો થયો કે, સાસરીયા પક્ષ હેરાન કરતા હોવાથી મહિલાએ પુત્ર સાથે આત્મહત્યા કરી હતી. પુત્રવધુ માનસિક રીતે બિમાર હોવાની વાત સાસરીયાઓ ઉપજાવી કાઢી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે નરોડા પોલીસે મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નરોડના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબહેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. વિરાજબહેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મહિલાને તેના સાસરિયાઓ હેરાન કરતા હતા અને તેના કારણે જ મહિલાએ આપઘાત કર્યો હતો. સાસરિયાપક્ષે એવી વાત ઉપજાવી કાઢી હતી કે તેમની પુત્રવધુ માનસિક રીતે અસ્થિર હતી અને એટલે આત્મહત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિવારજનો સહિત પડોશીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. મહિલાએ સાસરિયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની માહિતી મળતા, નરોડા પોલીસ દ્વારા મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી.
Related Articles
ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી વધુ ડાંગમાં 3.54 ઈંચ
ગુજરાતના 75 તાલુકામાં આજે મેઘમહેર, સૌથી...
Jul 02, 2025
રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો, આરતી કરવાની ના પાડતાં ક્ષત્રિય નેતા વિરૂદ્ધ ફરિયાદ
રાજકોટમાં અમરનાથ મંદિર પૂજા વિવાદ વકર્યો...
Jul 02, 2025
દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓછું દેખાવવાની ફરિયાદ, રોગચાળાનું કારણ જાણવામાં તંત્ર નિષ્ફળ
દહેગામમાં એકાએક 122 વિદ્યાર્થીઓને આંખો ઓ...
Jul 02, 2025
રાજ્યમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતનાં 3 જિલ્લામાં રેડ ઍલર્ટ
રાજ્યમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ,...
Jul 02, 2025
વાપી જીઆઇડીસીમાં આગ લાગતા દોડધામ, અઢી કલાકની જહેમત બાદ મેળવ્યો કાબૂ : કોઇ જાનહાનિ નહીં
વાપી જીઆઇડીસીમાં આગ લાગતા દોડધામ, અઢી કલ...
Jul 02, 2025
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં...
Jul 01, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025