નરોડામાં પુત્ર સાથે માતાએ કરેલા આપઘાતનો કેસ, પોલીસકર્મી પતિ સહિત સાસરિયાઓની ધરપકડ
December 08, 2024
અમદાવાદ : નરોડા વિસ્તારમાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા ખુલાસો થયો કે, સાસરીયા પક્ષ હેરાન કરતા હોવાથી મહિલાએ પુત્ર સાથે આત્મહત્યા કરી હતી. પુત્રવધુ માનસિક રીતે બિમાર હોવાની વાત સાસરીયાઓ ઉપજાવી કાઢી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે નરોડા પોલીસે મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નરોડના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબહેન વાણીયાએ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંક્યા બાદ તેમણે પણ કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. વિરાજબહેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મહિલાને તેના સાસરિયાઓ હેરાન કરતા હતા અને તેના કારણે જ મહિલાએ આપઘાત કર્યો હતો. સાસરિયાપક્ષે એવી વાત ઉપજાવી કાઢી હતી કે તેમની પુત્રવધુ માનસિક રીતે અસ્થિર હતી અને એટલે આત્મહત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિવારજનો સહિત પડોશીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. મહિલાએ સાસરિયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની માહિતી મળતા, નરોડા પોલીસ દ્વારા મહિલાના પોલીસકર્મી પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી તેમના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી.
Related Articles
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદયના દર્દી 20% વધ્યાં, સૌથી વધુ કેસ છોટા ઉદેપુરમાં
ગુજરાતમાં ઠંડીના કારણે 13 જિલ્લામાં હૃદય...
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્...
Jan 21, 2025
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જંત્રી દરમાં રાહતની શક્યતા
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુ...
Jan 20, 2025
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી
સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જ...
Jan 20, 2025
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી
અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચ...
Jan 20, 2025
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ મહોત્સવ, સોનાની પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું સન્માન
ચાણસ્મામાં ગોગા મહારાજ મંદિરનો રજત જયંતિ...
Jan 20, 2025
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 22, 2025