સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'

October 13, 2024

સુરત : સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. દશેરાના ભાષણ દરમિયાન દક્ષેશ માવાણીની જીભ લપસી ગઈ હતી અને તેઓએ અસત્ય પર સત્યનો વિજયના બદલે સત્ય પર અસત્યની વિજય થઈ તેવું બોલ્યા હતાં. મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં.  મેયરે જાહેર કાર્યક્રમમમાં કહ્યું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં. બાદમાં તેઓએ સુધારીને કહ્યું હતું કે, માફ કરજો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. રામચંદ્ર ભગવાને આ દિવસે રાવણનો વધ કર્યો હતો. મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ત્યાં પણ કોમેન્ટ કરી મેયરની ટીકા કરી રહ્યાં છે.