Breaking News :
લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ પત્નીને કહેજો હું તેને પ્રેમ કરું છું..., રસ્તા પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 3 કારને ઉડાવી છતાં કુદરતનો ચમત્કાર! 'FIR નોંધીને ધરપકડ કરો..', PM મોદી સાથે 'અપ્રિય ઘટના'ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ

February 09, 2026

ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાઈત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, બંને દેશોએ કાયદાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે એક સામાન્ય યોજના બનાવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય અપરાધો અને ગુનાઈત નેટવર્કની માહિતી શેર કરવા માટે બંને દેશો ખાસ અધિકારીઓની નિમણૂક કરશે. ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. સાયબર સુરક્ષાના પડકારો અને ઇમિગ્રેશન ફ્રોડ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા ચાલુ રાખવા માટે સહમતી બની છે.

2023માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી હતી. આ વિવાદ બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને દેશો આટલા ઉચ્ચ સ્તરે સુરક્ષા અને સહયોગ માટે સંમત થયા હોય. આ પ્રયાસોને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની આવતા મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તે પહેલા આ સુરક્ષા કરાર થવાથી બંને દેશો વચ્ચેના વિવાદિત મુદ્દાઓ પર બરફ ઓગળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

વિદેશ મંત્રાલય અનુસાર, બંને દેશો નાગરિકોના રક્ષણ માટેની પહેલમાં થયેલી પ્રગતિને સ્વીકારે છે અને સ્થાનિક કાયદા તથા આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ હેઠળ છેતરપિંડી અને ઇમિગ્રેશનના મુદ્દાઓ પર સહયોગ કરવા સંમત થયા છે.