Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ

June 23, 2026

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આણંદના તત્કાલીન રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર અને ગુજરાત વહીવટી સેવાના સિનિયર સ્કેલના અધિકારી કેતકીબેન વ્યાસ સામે 3.56 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. તેઓ હાલમાં સસ્પેન્ડ છે. એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે એક સરકારી કર્મચારી તરીકે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદેસરની આવકના જાહેર કરેલા સ્ત્રોતો કરતાં 68.84 ટકા વધુ મિલકત વસાવી હતી.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરરીતિ આચરીને આવક કરતાં વધુ મિલકત એકઠી કરવાના કેસો શોધી કાઢવા માટે એસીબી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત કેતકીબેન વ્યાસની મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ મુજબ તેમણે 1 એપ્રિલ, 2012 થી 31 માર્ચ, 2023 સુધીના સમયગાળા દરમિયાન આ 3,56,03,910 રૂપિયાની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી.

એસીબીના જણાવ્યા મુજબ આ ભ્રષ્ટાચારની રકમ તેમણે પોતાના અને પરિવારના સભ્યોના નામે જંગમ અને સ્થાવર મિલકતોમાં રોકી હતી. તપાસના આ તારણોને આધારે અમદાવાદ એસીબી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ સત્તાવાર રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની વધુ તપાસ અમદાવાદ યુનિટના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને સોંપવામાં આવી છે, જે ડેપ્યુટી ડાયરેક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવશે.