Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

દતિયામાં દિગ્ગજ નેતા નરોત્તમ મિશ્રાને સાઇડલાઇન કરતા ભાજપને ફટકો પડ્યો, કોંગ્રેસે 6016 મતથી બેઠક જીતી

August 04, 2026

ભોપાલમાં મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે 66757 મત મેળવીને ભાજપના આશુતોષ તિવારીને હરાવ્યા છે. આશુતોષ તિવારીને 60741 મત મળ્યા હતા. કોંગ્રેસે 6016 મતની સરસાઈથી આ બેઠક જીતી લીધી છે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન થયું હતું. આ સાથે ગુજરાતની માંજલપુર સહિત દેશની ત્રણ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થયા છે.

ભાજપને ફટકો પડવાનું મૂળ કારણ દિગ્ગજ નેતાને સાઇડલાઇન કરવાનું હોવાનું માનવામાં આવે છે. આ બેઠક પરથી ભાજપના પૂર્વ ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા પ્રબળ દાવેદાર હતા, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આશુતોષ તિવારીને આપી દીધી હતી. ટિકિટ કપાતા નરોત્તમ મિશ્રાના સમર્થકોમાં ભારે રોષ હતો, જેની સીધી અસર પરિણામ પર જોવા મળી છે. આ પેટાચૂંટણીમાં 21 ઉમેદવારો હતા, પણ સીધી ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતી.

આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાનું કારણ પણ રસપ્રદ છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં દતિયામાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ ભાજપના કદાવર નેતા નરોત્તમ મિશ્રાને હરાવ્યા હતા. જોકે એક જૂના કેસમાં રાજેન્દ્ર ભારતીને સજા થતા તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. આ કારણે બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણી યોજવી પડી હતી. પેટાચૂંટણીમાં પણ ભાજપ બેઠક જીતી શક્યું નથી અને કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી છે.