Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા

June 23, 2026

કતારના રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં ટેકનિકલ ખામીના કારણે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો અને ઘરોના બારી-બારણાં ધ્રૂજી ઊઠતાં સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ સત્તાવાર પુષ્ટિ કરતાં તેને એક ટેકનિકલ અકસ્માત ગણાવ્યો હતો. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મૃતકો ભારતીય અને પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતા હતા. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ઇજાગ્રસ્ત 66 લોકોની તબીબી સારવાર ચાલી રહી છે અને સદનસીબે તેમાંથી કોઈની પણ સ્થિતિ જીવલેણ નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ દુર્ઘટનાથી કોઈ પર્યાવરણીય જોખમ ઊભું થયું નથી અને કતારની નિકાસ કામગીરીને પણ કોઈ અસર થઈ નથી.

દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે જણાવ્યું હતું કે રાસ લફાનમાં બનેલી દુઃખદ ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે દૂતાવાસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.