‘એક દેશ, એક ચૂંટણી’નો આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્યો વિરોધ
December 13, 2024
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં ‘એક દેશ, એક ચૂંટણી’ બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અમુક આ બિલના ફાયદાઓ ગણાવી રહ્યું છે, તો બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરોધ કરીને આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણે બિલને લઈને વાંધો વ્યક્ત કર્યો છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ‘એક દેશ, એક ચૂંટણી’ને ભાજપનો એજન્ડા ગણાવ્યો. તેમણે કહ્યું કે, 'એનડીએ પાસે બહુમતિ છે અને તેમણે કોઈપણ નિર્ણય લઈ શકે છે. પરંતુ એક દેશ, એક ચૂંટણીના પ્રભાવ અને પરિણામોને જોવાની જરૂરત છે. આ ભાજપનો એજન્ડા છે. ભાજપ તેમના એજન્ડા પર કામ કરશે અને અમે અમારા એજન્ડા પર કામ કરીશું. '
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો અને ભારતની લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા બિલને લઈને નિષ્ણાત અને વિપક્ષી નેતાઓની ચિંતાઓની અવગણના કરવામાં આવી છે. આ કાંઈ સમજી વિચારીને કરવામાં આવેલો સુધારો નથી. આ બિલ ભારતની લોકશાહી અને સંઘીય માળખાને નબળી પાડવા માટે સરમુખત્યારશાહી લાદવામાં આવ્યું છે. અમારા સાંસદો સંસદમાં આ ક્રૂર કાયદાનો પૂરી તાકાત સાથે વિરોધ નોંધાવશે. બંગાળ ક્યારેય તાનાશાહી વિચારો આગળ ઝૂકશે નહીં. આ લડાઈ ભારતની લોકશાહીને બચાવાની છે.
Related Articles
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુરુમાં તાજ હોટેલમાં રૂમ બુક કરાવી બે દીકરીઓની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુર...
Aug 12, 2026
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કાર્યવાહી, 100 નામજોગ સહિત 600 સામે FIR
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કા...
Aug 12, 2026
સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાનું કાવતરું, 2 શહેરો અને સરહદો, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા સઘન
સ્વતંત્રતા દિવસ પર આતંકી હુમલાનું કાવતરુ...
Aug 12, 2026
ઝારખંડમાં JSSC 2022 જુનિયર એન્જિનિયર ભરતી પેપર લીક કેસમાં 6 આરોપીની ધરપકડ
ઝારખંડમાં JSSC 2022 જુનિયર એન્જિનિયર ભરત...
Aug 12, 2026
હરિદ્વારમાં કાંવડ યાત્રાનો તૂટ્યો રેકોર્ડ, 4.43 કરોડ કાંવડિયાઓએ લીધું ગંગાજળ
હરિદ્વારમાં કાંવડ યાત્રાનો તૂટ્યો રેકોર્...
Aug 11, 2026
સંસદીય બાબતોના મંત્રાલયે 11 સપ્ટેમ્બર 2024એ લોન્ચ કરેલા એનવાયપીએસ 2.0 પોર્ટલમાં 1 લાખથી વધુ લોકો જોડાયા
સંસદીય બાબતોના મંત્રાલયે 11 સપ્ટેમ્બર 20...
Aug 11, 2026
Trending NEWS
12 August, 2026
12 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026