મહારાષ્ટ્રમાં નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મૃત્યુ

October 03, 2023

નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોનાં મોત થયા છે. જેમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલે તપાસની માંગ કરી હતી.

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત શિશુ પણ સામેલ છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી હતી. મામલો શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલનો છે.

મળતી માહિતી મુજબ, હાફકિન ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટિટ્યૂટે દવાઓની ખરીદી બંધ કરી દીધી છે. જેના કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત જોવા મળી રહી છે. સમયસર દવાઓ ન મળવાના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે.  શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે.