બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર
February 07, 2026
ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી ચકચારી ઘટનામાં જેલમાં બંધ જયરાજ આહીર સહિત છ આરોપીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે, 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહુવા કોર્ટે આ તમામ આરોપીઓની શરતી જામીન અરજી મંજૂર કરી છે. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ મળેલી આ સફળતા અંગે જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે પુષ્ટિ કરી છે કે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં જયરાજ જેલમુક્ત થઈ શકે છે.
નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા જેલમાં હતા. ગઈકાલે મહુવા કોર્ટમાં આ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષના વકીલો વચ્ચે કલાકો સુધી તીખી દલીલો ચાલી હતી. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આજે શરતી જામીન પર મંજૂર કર્યા છે.
Related Articles
યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ
યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અ...
Mar 05, 2026
કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ
કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝર...
Mar 03, 2026
શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ
શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધો...
Mar 01, 2026
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિ કન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના...
Feb 28, 2026
આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા
આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 ન...
Feb 27, 2026
અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા ખાડિયા પહોંચી, ભક્તોનું કીડિયારું ઉભરાયું
અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીન...
Feb 26, 2026
Trending NEWS
03 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026