ગરિયાબંધમાં સુરક્ષા જવાનો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 14 નક્સલીઓ ઠાર મરાયા
January 21, 2025

છત્તીસગઢના ગારિયાબંધમાં છેલ્લા 36 કલાકથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 14 નક્સલીઓના મોતની માહિતી સામે આવી છે. આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે સવારથી કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
ગઈકાલે એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલા છે. આજે સવારે, સૈનિકોએ 12 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા. ઘટનાસ્થળેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. સૈનિકોની શોધખોળની કામગીરી ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા નક્સલીઓમાં ઓડિશા રાજ્ય નક્સલીઓના વડા જયરામ ઉર્ફે ચલપતિનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ એન્કાઉન્ટરમાં સીસીએમ મનોજ અને ગુડ્ડુ માર્યા ગયાના પણ સમાચાર છે.
Related Articles
મુસ્લિમ બહુમતી બેઠક પર ભાજપે સૌને ચોંકાવ્યા, જોકે AAPના નેતાઓનો દબદબો હજુ યથાવત્
મુસ્લિમ બહુમતી બેઠક પર ભાજપે સૌને ચોંકાવ...
Feb 08, 2025
દિલ્હી ચૂંટણીમાં AAPના સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, ભાજપને પાઠવી શુભેચ્છા
દિલ્હી ચૂંટણીમાં AAPના સફાયા બાદ કેજરીવા...
Feb 08, 2025
કેજરીવાલને જેલ, સંગઠનનું માઇક્રો મેનેજમેન્ટ: દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીતના કારણો
કેજરીવાલને જેલ, સંગઠનનું માઇક્રો મેનેજમે...
Feb 08, 2025
મોદીનો અમેરિકા પ્રવાસ જાહેર, 12મીએ મોદી ટ્રમ્પ સાથે મુલાકાત કરશે
મોદીનો અમેરિકા પ્રવાસ જાહેર, 12મીએ મોદી...
Feb 08, 2025
સાંજે BJP ઓફિસ જશે PM મોદી, કાર્યકરોમાં જશ્નનો માહોલ
સાંજે BJP ઓફિસ જશે PM મોદી, કાર્યકરોમાં...
Feb 08, 2025
દિલ્હી ચૂટણીમાં મોટો ઉલટફેર, મુસ્લિમ મત વિસ્તારોમાં BJPએ દેખાડ્યો દમ
દિલ્હી ચૂટણીમાં મોટો ઉલટફેર, મુસ્લિમ મત...
Feb 08, 2025
Trending NEWS

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025

07 February, 2025