Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

ગરિયાબંધમાં સુરક્ષા જવાનો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 14 નક્સલીઓ ઠાર મરાયા

January 21, 2025

છત્તીસગઢના ગારિયાબંધમાં છેલ્લા 36 કલાકથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 14 નક્સલીઓના મોતની માહિતી સામે આવી છે. આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે સવારથી કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ગઈકાલે એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલા છે. આજે સવારે, સૈનિકોએ 12 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા. ઘટનાસ્થળેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે. સૈનિકોની શોધખોળની કામગીરી ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા નક્સલીઓમાં ઓડિશા રાજ્ય નક્સલીઓના વડા જયરામ ઉર્ફે ચલપતિનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ એન્કાઉન્ટરમાં સીસીએમ મનોજ અને ગુડ્ડુ માર્યા ગયાના પણ સમાચાર છે.