સુરતના પાલી ગામમાં આઇસક્રીમ ખાધા બાદ તબિયત લથડી, 3 બાળકોના મોત, 1ની હાલત ગંભીર

November 30, 2024

સામાન્ય રીતે નાના-બાળકોથી માંડીને વડીલો બધાને જ આઇસક્રીમ ખાવો ગમે છે. પરંતુ સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં આઇસક્રીમ ખાધા બાદ 3 બાળકોને ઉલટી થવા લાગી હતી અને તબિયત લથડી હતી. ત્યારબાદ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.