અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
July 05, 2026
અમદાવાદ- આગામી અષાઢી બીજે (16 જુલાઈ) અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે નગરજનોને દર્શન આપવા જગતના નાથના શણગાર અને વાઘા સંપૂર્ણ તૈયાર કરી દેવાયા છે. કાળઝાળ ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને ભગવાન માટે વિશેષ લાઈટ બેબી પિંક કલરના વાઘા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રત્નો અને ડાયમંડથી જડિત સાત ચોગાવાળી વાંકી પાઘડી આ વખતની રથયાત્રામાં મુખ્ય આકર્ષણ જમાવશે.
ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના આ નયનરમ્ય વસ્ત્રોની બનાવટ પાછળ અખાત્રીજથી જ કામગીરી કરવામાં આવી રહી હતી. મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે પૂજન કર્યા બાદ વાઘા બનાવવાની શરૂઆત થઈ હતી. આ દિવ્ય શણગાર તૈયાર કરવા માટે કોલકાતા અને બનારસથી ખાસ પ્રકારના સિલ્ક તેમજ મખમલના કાપડના સેમ્પલ મંગાવવામાં આવ્યા હતા. વાઘા તૈયાર કરનાર કલાકાર સુનિલે જણાવ્યા મુજબ, આ વખતે વસ્ત્રોમાં આભલા વર્કની સાથે એટ્રેક્ટિવ રંગબેરંગી બોર્ડરનો ઉપયોગ કરાયો છે.
રથયાત્રાના ઉત્સવ દરમિયાન ભગવાન ભક્તોને અલગ અલગ દિવસોમાં વિવિધ સ્વરૂપે દર્શન આપશે. અમાસના દિવસે પ્રભુ રાણી કલરના કાપડ પર બારીક દોરીવર્ક કરેલા સુવર્ણ વેશ અને ખાસ વેલવેટના વાઘામાં દર્શન આપશે. જ્યારે રથયાત્રાના પવિત્ર દિવસે વહેલી સવારે મંગળા આરતી સમયે નાથ લાલ મખમલના શાહી વસ્ત્રો, સોનેરી બક્તર અને માથે કલગીવાળો અત્યંત સુંદર મોતીનો મુગટ ધારણ કરશે. નગરચર્યા પૂર્ણ કર્યા બાદ અષાઢી ત્રીજના રોજ ભગવાન મલ્ટી કલરના પ્યોર સિલ્કના વસ્ત્રો પહેરીને નિજમંદિરમાં પોતાના રત્નજડિત સિંહાસન પર પુનઃ બિરાજમાન થશે.
ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વાઘા બનાવનારા દરજી સુનિલે જણાવ્યું કે, 'અખાત્રીજના દિવસથી મહારાજશ્રીના હાથે અમે રથયાત્રાનું મુહૂર્ત અને ભગવાનના વસ્ત્રો માટેનું પૂજન કરતા હોઈએ છીએ. આ માટે અમે બનારસ સિલ્ક, કોલકાતા સિલ્ક, વેલવેટ અને મખમલ જેવા વિવિધ કાપડના સેમ્પલ મંગાવીને અલગ-અલગ ડિઝાઈનો તૈયાર કરીએ છીએ. આ વખતે વસ્ત્રોમાં આભલા વર્ક સાથે રંગબેરંગી બોર્ડર રાખી છે, જેની પાછળની ભાવના એ છે કે ભગવાન ભક્તોને આશીર્વાદ આપે અને દરેકનું જીવન પણ રંગબેરંગી બને. અમાસના દિવસે ભગવાન વેલવેટના વાઘામાં અને ત્યારબાદ રાણી કલરમાં દોરીવર્ક વાળા સુવર્ણ વેશમાં દર્શન આપશે. સવારે મંગળા આરતીમાં ભગવાન સોનેરી બખ્તર, લાલ કલરના વેલવેટના વસ્ત્રો અને કલગીવાળો મોતીનો મુગટ ધારણ કરીને ભક્તોને દર્શન આપશે.'
Related Articles
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટ...
Jul 15, 2026
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં 17 તાલુકાઓમાં હળવો વરસાદ, હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈ સુધીની આગાહી જાહેર
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં...
Jul 15, 2026
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન મેળવી છૂટી ગયા
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસ...
Jul 13, 2026
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ...
Jul 12, 2026
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્નાથજીનું દિવ્ય 'મામેરું
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્ન...
Jul 12, 2026
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપે સતીષ પટેલને ટિકિટ આપી
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજ...
Jul 12, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026