અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
July 05, 2026
અમદાવાદ- આગામી અષાઢી બીજે (16 જુલાઈ) અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે નગરજનોને દર્શન આપવા જગતના નાથના શણગાર અને વાઘા સંપૂર્ણ તૈયાર કરી દેવાયા છે. કાળઝાળ ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને ભગવાન માટે વિશેષ લાઈટ બેબી પિંક કલરના વાઘા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રત્નો અને ડાયમંડથી જડિત સાત ચોગાવાળી વાંકી પાઘડી આ વખતની રથયાત્રામાં મુખ્ય આકર્ષણ જમાવશે.
ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના આ નયનરમ્ય વસ્ત્રોની બનાવટ પાછળ અખાત્રીજથી જ કામગીરી કરવામાં આવી રહી હતી. મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે પૂજન કર્યા બાદ વાઘા બનાવવાની શરૂઆત થઈ હતી. આ દિવ્ય શણગાર તૈયાર કરવા માટે કોલકાતા અને બનારસથી ખાસ પ્રકારના સિલ્ક તેમજ મખમલના કાપડના સેમ્પલ મંગાવવામાં આવ્યા હતા. વાઘા તૈયાર કરનાર કલાકાર સુનિલે જણાવ્યા મુજબ, આ વખતે વસ્ત્રોમાં આભલા વર્કની સાથે એટ્રેક્ટિવ રંગબેરંગી બોર્ડરનો ઉપયોગ કરાયો છે.
રથયાત્રાના ઉત્સવ દરમિયાન ભગવાન ભક્તોને અલગ અલગ દિવસોમાં વિવિધ સ્વરૂપે દર્શન આપશે. અમાસના દિવસે પ્રભુ રાણી કલરના કાપડ પર બારીક દોરીવર્ક કરેલા સુવર્ણ વેશ અને ખાસ વેલવેટના વાઘામાં દર્શન આપશે. જ્યારે રથયાત્રાના પવિત્ર દિવસે વહેલી સવારે મંગળા આરતી સમયે નાથ લાલ મખમલના શાહી વસ્ત્રો, સોનેરી બક્તર અને માથે કલગીવાળો અત્યંત સુંદર મોતીનો મુગટ ધારણ કરશે. નગરચર્યા પૂર્ણ કર્યા બાદ અષાઢી ત્રીજના રોજ ભગવાન મલ્ટી કલરના પ્યોર સિલ્કના વસ્ત્રો પહેરીને નિજમંદિરમાં પોતાના રત્નજડિત સિંહાસન પર પુનઃ બિરાજમાન થશે.
ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વાઘા બનાવનારા દરજી સુનિલે જણાવ્યું કે, 'અખાત્રીજના દિવસથી મહારાજશ્રીના હાથે અમે રથયાત્રાનું મુહૂર્ત અને ભગવાનના વસ્ત્રો માટેનું પૂજન કરતા હોઈએ છીએ. આ માટે અમે બનારસ સિલ્ક, કોલકાતા સિલ્ક, વેલવેટ અને મખમલ જેવા વિવિધ કાપડના સેમ્પલ મંગાવીને અલગ-અલગ ડિઝાઈનો તૈયાર કરીએ છીએ. આ વખતે વસ્ત્રોમાં આભલા વર્ક સાથે રંગબેરંગી બોર્ડર રાખી છે, જેની પાછળની ભાવના એ છે કે ભગવાન ભક્તોને આશીર્વાદ આપે અને દરેકનું જીવન પણ રંગબેરંગી બને. અમાસના દિવસે ભગવાન વેલવેટના વાઘામાં અને ત્યારબાદ રાણી કલરમાં દોરીવર્ક વાળા સુવર્ણ વેશમાં દર્શન આપશે. સવારે મંગળા આરતીમાં ભગવાન સોનેરી બખ્તર, લાલ કલરના વેલવેટના વસ્ત્રો અને કલગીવાળો મોતીનો મુગટ ધારણ કરીને ભક્તોને દર્શન આપશે.'
Related Articles
વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી! 78 ગોડાઉનમાં 15 ફૂટ પાણી!
વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણ...
Jul 25, 2026
વરસાદ થંભ્યા બાદ પણ ગુજરાતમાં મુશ્કેલીઓ યથાવત, 40,500 લોકોનું સ્થળાંતર, 30 શ્રમિકોને એરલિફ્ટ કરીને બચાવ્યા
વરસાદ થંભ્યા બાદ પણ ગુજરાતમાં મુશ્કેલીઓ...
Jul 25, 2026
અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો, બોપલમાં 20 ઇંચ વરસાદ
અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્...
Jul 25, 2026
ગાંધીનગરમાં ‘Gen Z’નું સ્વયંભૂ આંદોલન શરૂ, પેપર લીક અને બેરોજગારી મુદ્દે યુવાનો રસ્તા પર
ગાંધીનગરમાં ‘Gen Z’નું સ્વયંભૂ આંદોલન શર...
Jul 25, 2026
સતત વરસાદથી સુરતની ખાડીઓમાં જળસ્તર વધ્યું, મીઠીખાડી અને સીમાડા ખાડી પર તંત્રની નજર
સતત વરસાદથી સુરતની ખાડીઓમાં જળસ્તર વધ્યુ...
Jul 25, 2026
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ, સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ; કચ્છ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ, સાંતલપુરમાં 13...
Jul 25, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026