Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

ગાંધીનગરમાં ‘Gen Z’નું સ્વયંભૂ આંદોલન શરૂ, પેપર લીક અને બેરોજગારી મુદ્દે યુવાનો રસ્તા પર

July 25, 2026

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના ‘Gen Z’ એટલે કે નવી પેઢીના યુવાનોએ પેપર લીક, બેરોજગારી અને શિક્ષણ ક્ષેત્રની અનિયમિતતાઓ સામે સ્વયંભૂ આંદોલન શરૂ કર્યું છે. આંદોલનની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેમાં કોઈ રાજકીય પક્ષ કે જાણીતા નેતાનું નેતૃત્વ નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા યુવાનો મોટી સંખ્યામાં મેદાને ઉતરતાં સરકારની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.

ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને વોટ્સએપ ગ્રૂપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ આ આંદોલનનું મુખ્ય માધ્યમ બન્યા છે. સોશિયલ મીડિયા મારફતે યુવાનોને સત્યાગ્રહ છાવણી પહોંચવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જ્યારે સરકારની નીતિઓ સામે હેશટેગ અભિયાન અને સતત ટિપ્પણીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો વચ્ચે હવે યુવાનોનો આક્રોશ પણ રાજ્ય સરકાર માટે નવી ચિંતાનો વિષય બન્યો છે.

ગુજરાતના શહેરી વિસ્તારોમાં યુવાનો લાંબા સમયથી ભાજપની મજબૂત વોટબેંક માનવામાં આવે છે. જોકે, કોઈ રાજકીય ચહેરા વગર મોટી સંખ્યામાં યુવાનોનું એકજૂથ થવું રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આગામી ચૂંટણી પહેલાં યુવાનોની નારાજગી ભાજપને નુકસાન પહોંચાડી શકે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને આઈબીની ટીમો સત્યાગ્રહ છાવણી તથા આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ પર આડકતરી રીતે દબાણ લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આંદોલનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ અને કોલેજમાંથી કાઢી મૂકવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.