અમદાવાદ પ્લેન ક્રેશ: વીમા કંપનીએ એર ઈન્ડિયાને 1,125 કરોડ તો મુસાફરોના પરિવારજનોને 225 કરોડ ચુકવ્યા
January 24, 2026
અમદાવાદ : ગ્લોબલ રિઇન્શ્યોરર્સ અને ભારતીય જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઈન્ડિયાને થયેલા નુકસાનમાં અત્યાર સુધી 125 મિલિયન ડોલર એટલે કે લભગલ 1125 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે. આ રકમમાં વિમાનના ઢાંચા અને એન્જિનમાં ક્ષતિથી થયેલા નુકસાન સામે વીમાના દાવા મુજબનું વળતર આપવામાં આવ્યું છે. આ સાથે જ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને પણ 25 મિલિયન ડોલર (225 કરોડ) રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. જો કે, મુસાફરો સાથે જોડાયેલા દાવાઓની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી જેથી વળતરનો આંકડો હજુ વધુ હોઈ શકે છે.
ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા જેમાં 241 મુસાફરો તેમજ અન્ય ક્રુ સભ્યો સામેલ હતા. ખાનગી રિપોર્ટના દાવા મુજબ ભારતીય રિઇન્શ્યોરર્સ (GIC Re) પહેલા જ દાવો કરી ચૂક્યું છે કે દુર્ઘટનામાં વીમાના દાવાનું કુલ રકમ 475 મિલિયન ડોલર એટલે કે અંદાજિત 4,275 કરોડ રૂપિયા છે, જેમાંથી 350 મિલિયન ડોલર મુસાફરો અને તૃતીય પક્ષના દાવાઓ સંબંધિત જવાબદારીઓ માટે હશે. નિષ્ણાતોના મતે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવારો બંને સામાન્ય રીતે વળતર મેળવવાના હકદાર હોય છે, ભલે પાઇલટની ભૂલ હોય. હકીકતમાં, જો જાળવણી સ્ટાફ અથવા ટેકનિશિયનની બેદરકારી સ્થાપિત થાય તો વળતરની રકમ સંભવિત રીતે વધી શકે છે.
Related Articles
યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ
યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અ...
Mar 05, 2026
કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ
કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝર...
Mar 03, 2026
શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધોના મોત, બેસણામાં જતો પરિવાર શોકમાં ગરકાવ
શહેરા-મોરવા રોડ પર છકડો પલટતાં બે વૃદ્ધો...
Mar 01, 2026
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિ કન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના...
Feb 28, 2026
આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા
આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 ન...
Feb 27, 2026
અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા ખાડિયા પહોંચી, ભક્તોનું કીડિયારું ઉભરાયું
અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીન...
Feb 26, 2026
Trending NEWS
03 March, 2026
03 March, 2026
03 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
01 March, 2026
01 March, 2026