ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ
April 24, 2026
ઉના- ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા અને પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ફસાવવા માટે ફાયરિંગનું ખોટું નાટક રચનાર આમ આદમી પાર્ટીના નેતા અજય ભાણાભાઇ બાંભણીયાની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, ઉના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 અને 7 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણીયા પર ગત રાત્રે (23 એપ્રિલ) રાત્રે 10 વાગ્યે કથિત ફાયરિંગની ઘટના બની હતી. જો કે પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ ફાયરિંગની ઘટના નકારી હતી અને ગઈકાલે રાત્રે જ FLS બોલાવી હતી. FSL તપાસમાં અજય બાંભણીયાના પોતાના પર ફાયરિંગના નાટકનો પર્દાફાશ થયો છે.
અજય બાંભણીયાએ પોલીસ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેઓ જ્યારે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર સામે ગોળીબાર કરી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ઉના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ, એલ.સી.બી અને એસ.ઓ.જીની અલગ-અલગ ટીમોએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન FSL અધિકારીઓના રિપોર્ટ અને ટેક્નિકલ પુરાવાઓ પરથી જાણવા મળ્યું કે ફાયરિંગની આ ઘટના તદ્દન બનાવટી હતી.
અજય બાંભણીયાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માં પોતાના પ્રતિસ્પર્ધીને ગંભીર ગુનામાં ખોટી રીતે સંડોવી દેવા અને નુકસાન પહોંચાડવાના આશયથી આ ષડયંત્ર રચ્યું હતું. તેણે પોલીસ સમક્ષ ખોટા પુરાવા ઉભા કર્યા હતા અને પોતાની પાસે ગેરકાયદેસર રીતે જીવતો કારતુસ રાખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
Related Articles
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની...
May 17, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્...
May 16, 2026
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત
અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથ...
May 14, 2026
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પ...
May 11, 2026
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
Trending NEWS
15 May, 2026
14 May, 2026
14 May, 2026